ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રીય સચિવ અજય કપૂર આજે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. આજે તેઓ ઔપચારિક રીતે ભાજપમાં જોડાશે.
સૂત્રોનો દાવો છે કે કાનપુરથી અજય કપૂરને બીજેપીના ઉમેદવાર બનાવવામાં આવશે. અજય કપૂર કૉંગ્રેસમાંથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે અને કાનપુરમાં તેમની ગણના પ્રભાવશાળી નેતા તરીકે થાય છે. વિધાનસભા અધ્યક્ષ સતીશ મહાના તેમના નજીકના સંબંધી છે. કોંગ્રેસ માટે આ એક મોટો રાજકીય ફટકો માનવામાં આવી રહ્યો છે.
અજય કપૂર કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ છે. તેમને બિહારના સહ-ઈન્ચાર્જની જવાબદારી પણ આપવામાં આવી હતી. કોંગ્રેસ કાનપુરના ધારાસભ્ય અજય કપૂરને લોકસભા ચૂંટણીમાં કાનપુર બેઠક પરથી ઉતારવા માંગતી હતી. અજય કપૂર કોંગ્રેસમાંથી ત્રણ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. અજય કપૂર 2002 થી 2017 સુધી કાનપુરની ગોવિંદ નગર અને કિદવાઈ નગર સીટથી ધારાસભ્ય રહી ચૂક્યા છે.
તમને જણાવી દઈએ કે યુપીમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસ 17 સીટો પર અને સમાજવાદી પાર્ટી 63 સીટો પર ચૂંટણી લડશે. સપાએ અત્યાર સુધીમાં 31 સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે.