ચૂંટણી ફરિયાદોના નિરાકરણ માટે જિલ્લા કંટ્રોલરૂમ 24 કલાક કાર્યરત રહેશે.
આચારસંહિતા ભંગની ફરિયાદ જિલ્લા કંટ્રોલ રૂમ ફોન નંબર 02742-265165 અને હેલ્પલાઇન નંબર 1950 પર કરી શકાશે. ભારતના ચૂંટણી પંચ દ્વારા 16મી માર્ચે લોકસભાની સામાન્ય ચૂંટણી 2024ની જાહેરાત થયા બાદ, જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વરૂણ કુમાર બરનવાલના સીધા માર્ગદર્શન અને દેખરેખ હેઠળ ચૂંટણી યોજવા માટે તૈયાર છે. આચારસંહિતા ભંગની કોઈપણ ફરિયાદના નિવારણ માટે પાલનપુર કલેક્ટર કચેરીમાં જિલ્લા નિયંત્રણ કક્ષ અને જિલ્લા નિયંત્રણ કેન્દ્ર (1950 હેલ્પલાઇન)ની સુવિધા શરૂ કરવામાં આવી છે.