(GNS),તા.18
અમદાવાદ,
લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ત્યારે ગુજરાતમાં 7મી મેના રોજ ચૂંટણી યોજાવાની છે. આ સાથે ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી છે. ત્યારે વાઘોડિયાની ખાલી પડેલી બેઠક પર પણ ચૂંટણી યોજાશે. વાઘોડિયા બેઠક પરથી વિપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યા બાદ આ બેઠક ખાલી પડી છે. ત્યારે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી એકવાર ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. મધુ શ્રીવાસ્તવે પણ લોકસભાની ચૂંટણી અને વાઘોડિયા બેઠક પર પેટાચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. તેમણે કહ્યું કે જો ભાજપ સામે સક્ષમ ઉમેદવારો નહીં હોય તો લોકસભા અને વાઘોડિયા પેટાચૂંટણી લડવામાં આવશે. આ સિવાય મધુ શ્રીવાસ્તવે કહ્યું છે કે તેમણે સાંસદ રંજનબેન ભટ્ટ પર તેમના શાસનમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને ખુલ્લો વિરોધ કર્યો છે.