ચક્રવાતી વાવાઝોડું ‘બિપરજોય’ ગુરુવારે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકતાં પાણી, જમીન અને હવામાં વાવાઝોડાનો કહેર જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે ભારે પવન અને વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષો, ઈલેક્ટ્રીક થાંભલા અને હોર્ડિંગ્સ ધરાશાયી થઈ ગયા હતા.