(GNS),તા.13
ગાંધીનગર
ગાંધીનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ કોલવડામાં ચામુંડાપુરા વિસ્તાર રૂ. 22 લાખના ખર્ચે તૈયાર થનાર બોરહોલનું આજે મેયર હિતેશભાઈ મકવાણાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેયરશ્રીએ જણાવ્યું હતું કે આ વિકાસ કાર્યથી ચામુંડાપુરા વિસ્તારના લોકો અને પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પીવાના પાણીની સમસ્યા હલ થશે. આ કાર્યક્રમમાં ડે.મેયર શ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટે. ચેરમેન શ્રી જશવંતભાઈ પટેલ, કાઉન્સિલર શ્રી, આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.