વિસનગર તાલુકાના હસનપુર ગામ પાસે રોડ ક્રોસ કરતી વખતે પુરપાટ ઝડપે આવતી કિયા કારના ચાલકે મહિલાને ટક્કર મારતા તેણીનું ઘટનાસ્થળે જ બેભાન થઈ જવા પામ્યું હતું. મહિલાને સારવાર માટે વિસનગર સિવિલમાં લઈ જતાં તબીબે તેણીને મૃત જાહેર કરી હતી. મહિલાના ચાલક સામે વિસનગર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો. વિસનગર તાલુકાના હસનપુર ગામે રહેતા ઠાકોર કૈલાસબેન ઉર્ફે કાલીબેન અરવિંદજી નામની 36 વર્ષીય મહિલા ગઈકાલે ઘરેથી ખેતરે જવા નીકળી હતી. જેઓ વિસનગર ખેરાલુ હાઇવે રોડ પર ચાલીને જતા હતા. દરમિયાન રોડ ક્રોસ કરતી વખતે ખેરાલુ તરફથી આવતી કારના ચાલકે કૈલાશબેનને ટક્કર મારતાં તેઓ નીચે પટકાયા હતા. જેમાં કૈલાશબેનને ટક્કર મારતા કારના ચાલકે તેમને સારવાર માટે વિસનગર સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા. ફરજ પરના તબીબે કૈલાશબેનને મૃત જાહેર કરતાં હેતલબેન દિપસંગજી ઠાકોરે બનાવ અંગે વિસનગર પોલીસને જાણ કરતાં પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ કરાવી કારચાલક રાવત કિરણકુમાર વિષ્ણુભાઈ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.