શક્તિપીઠ અંબાજી ખાતે આજથી ભાદરવી પૂનમ મહામેળાનો પ્રારંભ થયો છે. અંબાજી તરફ જતા તમામ માર્ગો ‘બોલ માડી અંબે, જય-જય અંબે’ના નાદથી ગુંજી ઉઠ્યા છે. અંબાજીમાં સર્વત્ર યાત્રાધામો નજરે પડે છે. અંબાજી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે યાત્રાળુઓ માટે અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. હજારો માઇ ભક્તો સંઘો સાથે પગપાળા મહામેળામાં પહોંચી રહ્યા છે. માડી અંબે જય-જય અંબેના નાદ સાથે મોટી સંખ્યામાં ભક્તો અંબાજીના માર્ગો પરથી પસાર થઈ રહ્યા છે. ત્યારે અંબાજીમાં એક અલગ જ ભક્તિમય માહોલ સર્જાઈ રહ્યો છે.