મુકેશ અબાનીના કાર્યકાળ દરમિયાન કંપની 70 વર્ષની વૈધાનિક વય વટાવી જશે. મુકેશ અંબાણી 1977માં રિલાયન્સના બોર્ડમાં જોડાયા હતા. તેમણે આગામી પાંચ વર્ષ માટે તેમનો કાર્યકાળ વધારવાની પરવાનગી માંગી હતી.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે મુકેશ અંબાણીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકેનો કાર્યકાળ 2029 સુધી પાંચ વર્ષ વધારવા માટે તેના શેરધારકો પાસેથી મંજૂરી માંગી છે. મુકેશ અબાની 1977થી રિલાયન્સના બોર્ડમાં છે. તેમણે જુલાઈ 2002 માં તેમના પિતા અને સમૂહના વડા ધીરુભાઈ અંબાણીના અવસાન બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું.
તેમના પ્રસ્તાવિત કાર્યકાળ દરમિયાન, તેઓ 70 વર્ષની વૈધાનિક વય પ્રાપ્ત કરશે. તેથી, શેરધારકોને વય મર્યાદા વટાવી દેવા માટે વિશેષ ઠરાવની જાહેરાત કરવામાં આવી છે.