નર્મદા નિગમ વિભાગની કેનાલ ઓવરફ્લો થતાં લાખો લીટર પાણીનો વેડફાટ : સમી તાલુકામાં નર્મદા વિભાગની ઘોર બેદરકારી ચાલુ છે.તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી નર્મદા વિભાગની કેનાલો અવારનવાર તૂટી જાય છે અને ઓવરફ્લોની સમસ્યા યથાવત રહે છે.
સમી તાલુકાના નાયકા ગામ પાસેથી પસાર થતા નર્મદા પંથકમાં કેનાલોમાં ઓવરફ્લો અને ગાબડાં પડતાં લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે. નર્મદા કોર્પોરેશન વિભાગ દ્વારા કેનાલોની સફાઈ ન કરવાને કારણે કેનાલોમાં ઓવરફ્લો અને ગાબડા પડ્યા છે, પરંતુ નર્મદા કોર્પોરેશન વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે ખેડૂતો તેનો સીધો ભોગ બની રહ્યા છે, આ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. .