સલંગપુર સ્થિત કષ્ટભંજન હનુમાનજીના મંદિરે આગામી દિવસોમાં 175માં શતમૃત મોહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે સલંગપુરથી રથ મોકલવામાં આવી રહ્યા છે અને ગુજરાતભરમાંથી લોકોને બોલાવવામાં આવી રહ્યા છે. જ્યારે આ રથ પાલનપુર પહોંચ્યો ત્યારે શહેરના લોકોએ ભેગા મળી ભવ્ય સ્વાગત કર્યું હતું. દરેક સમાજના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આગામી દિવસોમાં સારંગપુરના કષ્ટભંજન હનુમાન મંદિર ખાતે 175માં શતામૃત મોહોત્સવનું આયોજન કરવામાં આવશે. જ્યાં સલંગપુરથી નીકળેલા રથ દ્વારા સમગ્ર ગુજરાતમાંથી લોકોને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે ત્યારે આજે સલંગપુરથી નીકળેલ રથ પાલનપુર પહોંચ્યો હતો અને શહેરની જનતાએ તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું. પાલનપુરના વિવિધ માર્ગો પર શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.