પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સિધ્રા અને બાબરા વચ્ચેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગુરુવારે વહેલી સવારે બે લોડીંગ ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે આ અકસ્માતના કારણે અન્ય બે વ્યક્તિઓને ઈજાઓ થતાં નેશનલ હાઈવે પર જામનો માહોલ સર્જાયો હતો, પોલીસે ઘટના સ્થળે પહોંચી 3 કલાકની સતત જહેમત બાદ જામ હટાવી અકસ્માત અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ગુરુવારે વહેલી સવારે સાતલપુર નેશનલ હાઈવે પર સર્જાયેલા અકસ્માતની હકીકત મુજબ સિંધરા અને બાબરા વચ્ચેના નેશનલ હાઈવે રૂટ 27 પર સાતલપુર નજીક અગમ્ય કારણોસર પસાર થઈ રહેલી બે લોડીંગ ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં સાંતલપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે લઇ જઇ મૃતકનું મૃત્યુ પ્રમાણપત્ર નોંધી ત્રણ કલાકની સતત જહેમત બાદ ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો.