પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના લોદરા પાસેના પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભર્યા બાદ અગમ્ય કારણોસર કારમાં આગ લાગી હતી.
કારમાં અચાનક આગ લાગતાં કારના ચાલક સહિત મુસાફરોએ સમય સૂચકતાની મદદથી કારમાંથી બહાર નીકળી જતા તેમનો જીવ બચી ગયો હતો. જાણવા મળ્યા મુજબ પંપ પર અગ્નિશામક સામગ્રીનો ઉપયોગ કરીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેના કારણે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ઠાલવતાં ભૂલથી વાહનમાં આગ લાગી હતી.