સિદ્ધપુરમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના માર્ગદર્શન હેઠળ સિદ્ધપુર શહેર અને તાલુકા ભાજપ દ્વારા APMC સરદાર હોલ ખાતે “પ્રબુદ્ધ નાગરિક સંમેલન અને વેપારી સંમેલન”નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ પ્રવક્તા ડૉ.હિતેન્દ્રભાઈ પટેલે કેન્દ્રના નવ વર્ષના શાસનની સિદ્ધિઓ વર્ણવી હતી. અને જણાવ્યું હતું કે આપણી આજુબાજુના નાનામાં નાના સમાજના નાનામાં નાના વ્યક્તિને પણ સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળે તે આપણી ફરજ છે. સરકારનો વહીવટ પારદર્શક છે.
આગામી લોકસભાની ચૂંટણીમાં સત્તાધારી પક્ષને સમર્થન આપવા હાકલ કરી હતી. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ કૃપાબેન આચાર્ય, મોહનભાઈ પટેલ, ભાનુમતીબેન મકવાણા, તાલુકા ભાજપ પ્રમુખ વિક્રમસિંહ ઠાકોર, નગરપાલિકાના સદસ્યો, માર્કેટ યાર્ડના ડીરેકટર, મોટી સંખ્યામાં વેપારીઓ, પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.