(જીએનએસ), 29
ગુજરાતના મોટાભાગના શહેરો રોગચાળાની ઝપેટમાં છે. તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાતી જોવા મળી રહી છે. સુરતમાં આ રોગ જીવલેણ બન્યો છે. સુરત શહેરમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. જેના કારણે શહેરમાં રોગચાળાને કારણે 36 લોકોના મોત થયા છે. સુરતમાં એક મહિલાનું ભારે ઉલ્ટીના કારણે મોત થયું હતું. પાંડેસરામાં રહેતી મહિલાનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ગઈકાલે પણ એક વૃદ્ધ મહિલાનું તાવના કારણે મોત થયું હતું. છેલ્લા બે મહિનાથી સુરતમાં રોગચાળાના કારણે લોકોના મોત થયાની ઘટના સામે આવી છે. ઓગસ્ટ મહિનામાં હોસ્પિટલ દર્દીઓથી ઉભરાતી જોવા મળી રહી છે. 15 દિવસમાં ડેન્ગ્યુના 24થી વધુ કેસ નોંધાયા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા રોગચાળાને કાબૂમાં લેવાની કામગીરીના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે.