સુરત શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમા જાહેરમા યુવક પર અજાણ્યા ઈસમોએ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હોવાનો બનાવ બન્યો છે.
કોર્ટ પરીસરની સામે અને ગૃહમંત્રીના નિવાસસ્થાનથી એક કિમી દુર આ ઘટના બની હતી.
મૃતક યુવક બુલેટ પર જઈ રહ્યો હતો ત્યારે આ હિચકારો હુમલો થયો હતો.
હુમલાખોરોએ આડેધડ ચપ્પુના ઘા ઝિકાયા હતા.
આ યુવક માથાભારે અને તેનું નામ સુરજ યાદવ હોવાનુ જાણવા મળેલ છે.
સુરજ યાદવને સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના હાજર તબીબોએ મૃત જાહેર કર્યો હતો.
બાઈક પર આવેલા શખ્સો ઘટનાને અંજામ આપી કેબલ સ્ટેઇડ બ્રિજ પરથી થયા ફરાર થયા હતા.
ઉમરા પોલીસ સહિત સુરત ક્રાઈમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.