હંસરાજ રઘુવંશીએ પીએમ મોદીના વખાણ કરતા આ વાત કહી
PM મોદીના વખાણ માટે આભાર વ્યક્ત કરતા હંસરાજે ANIને કહ્યું, “હું 2013 થી ગાતો આવ્યો છું… મેં મોટાભાગે ભોલેનાથ પર ગીતો રચ્યા છે. આપણા દેશના પીએમએ મારા ભજન (જય શ્રી રામ)ની પ્રશંસા કરી છે તે ખૂબ જ સારું લાગે છે. હું તેમનો હૃદયપૂર્વક આભાર માનવા માંગુ છું… હું મારા ચાહકોનો પણ આભાર માનવા માંગુ છું. મારા ઘણા ભજનો લાખો વ્યુઝ સુધી પહોંચ્યા છે. દરેક વ્યક્તિએ ભક્તિભાવ રાખવો જોઈએ, કારણ કે તે આપણને સકારાત્મકતા આપે છે.” તેમણે વધુમાં કહ્યું કે, ગીતની શરૂઆતની લાઇન, ‘અયોધ્યા આયે મેરે રામ, બોલો જય શ્રી રામ’ રાજસ્થાની નોટ્સથી પ્રેરિત છે. બાકીનું ગીત મેં કમ્પોઝ કર્યું છે અને રવિ ચોપરાએ લખ્યું છે.”