બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં પણ તોફાન થવાની સંભાવના છે.
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે નજીકના ભવિષ્યમાં પશ્ચિમ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં તોફાન થવાની સંભાવના વ્યક્ત કરી છે. 30 સપ્ટેમ્બરથી બંગાળની ખાડીમાં થાઈલેન્ડ તરફ લો પ્રેશર સર્જાશે. દબાણ મજબૂત બનશે અને 2 ઓક્ટોબર સુધીમાં અરબી સમુદ્ર સુધી પહોંચશે. બાદમાં 12 ઓક્ટોબર સુધીમાં તોફાન ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે વાવાઝોડું ગંભીર તોફાનમાંથી અત્યંત તીવ્ર વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. આ સમયે, અરબી સમુદ્રમાં પણ મજબૂત સિસ્ટમ બનવાની સંભાવના છે. શક્ય છે કે તેનો રૂટ ઓમાન તરફ જાય, પરંતુ તે સમયે તેનો રૂટ જાણી શકાશે. ચક્રવાતી તોફાન બંગાળ 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધવાની સંભાવના છે.
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, 12 થી 20 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડશે, પરંતુ બીજી તરફ સ્કાયમેટના જણાવ્યા અનુસાર, વાવાઝોડાની ગુજરાતને અસર થવાની કોઈ શક્યતા નથી. ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારો પણ પ્રભાવિત છે. ચક્રવાતને કારણે ગુજરાતના કેટલાક ઉત્તર-પૂર્વીય ભાગો પ્રભાવિત થશે. 21 સપ્ટેમ્બરથી અરબી સમુદ્રમાં દરિયાઈ હવામાનમાં ફેરફાર થશે.
મુંબઈ, દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. તેમજ બંગાળની ખાડીમાં આવેલા ચક્રવાતને કારણે 27-28-29 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. સ્કાયમેટના જણાવ્યા અનુસાર ગુજરાત પર વાવાઝોડાની અસર થવાની કોઈ શક્યતા નથી.. જો આ વાવાઝોડું ગુજરાત તરફ આવશે તો પણ તે ઘણું નબળું હશે.. અને તેની અસર નહિવત હશે.