ડિજિટલ ડેસ્ક: સરકારે સ્માર્ટફોન યુઝર્સને મોટી ભેટ આપી છે. બજેટ પહેલા સરકારે સ્માર્ટફોન ઈન્ડસ્ટ્રીને લઈને મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ સ્માર્ટફોનના પાર્ટસ પર આયાત ડ્યૂટી ઘટાડવામાં આવશે. જેમાં ફોનનું બેટરી કવર, પ્લાસ્ટિક અને મેટલ પણ સામેલ છે. આ તમામ વસ્તુઓ પરની આયાત જકાત 5% ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે મોદી સરકારના આ નિર્ણયને કારણે સ્માર્ટફોનની કિંમતમાં મોટો ઘટાડો થઈ શકે છે.
હકીકતમાં, ચીન, મેક્સિકો, વિયેતનામ અને થાઈલેન્ડ સિવાય ભારતમાં પણ આયાત ડ્યૂટી સૌથી વધુ છે. આ જ કારણ છે કે Apple iPhoneની કિંમત પણ ઘણી વધારે છે. આવી સ્થિતિમાં મોબાઈલ ફોનને લઈને મોદી સરકાર મેડ ઈન ઈન્ડિયા પર ખાસ ભાર આપી રહી છે. આ અભિયાન હેઠળ સરકાર ભારતમાં આવા ફોનના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ લગાવવા પર ભાર આપી રહી છે.
નોંધનીય છે કે અગાઉ સ્માર્ટફોનના પાર્ટ્સ પર આયાત ડ્યૂટી 15% હતી, પરંતુ તેને ઘટાડીને 10% કરી દેવામાં આવી છે. ટેક્સમાં ઘટાડો કરવાનો સીધો અર્થ એ છે કે સ્માર્ટફોનની કિંમતમાં ભારે ઘટાડો થશે. તમને જણાવી દઈએ કે, હવે સેમસંગ દ્વારા મેડ ઈન ઈન્ડિયા લેપટોપ માર્કેટમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. આવી સ્થિતિમાં ભારતમાં બનેલા સ્માર્ટફોન અને લેપટોપનું માર્કેટ ઘણું મોટું થઈ જશે. આ કારણે યુઝર્સ માટે આ એક મોટા સમાચાર હોઈ શકે છે.