અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માત બાદ શહેરમાંથી વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં મર્સિડીઝના ચાલકે બાઇકને ટક્કર મારતાં બાઇક સવાર પતિ-પત્નીને ઇજા પહોંચી હતી. હાલ પોલીસે કાર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદના ચંદ્રનગર ચાર રસ્તા પર ગઈકાલે રાત્રે પૂરપાટ ઝડપે આવી રહેલી મર્સિડીઝ કારે બાઇકને ટક્કર મારી હતી. જેમાં બાઇક સવાર દંપતી પૈકી બાઇક સવારને ઇજા થઇ હતી. આ ઘટના બાદ સ્થાનિક લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. જો કે અકસ્માત બાદ કારચાલક કાર મુકીને ફરાર થઈ ગયો હતો. માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.