રાજ્ય સરકારે ધરોઈ ડેમને પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવાનો નિર્ણય લીધો છે. જેને વિશ્વ કક્ષાના ટકાઉ પ્રવાસન અને યાત્રાધામનો દરજ્જો આપવામાં આવશે. ધરોઈની આસપાસ 90 કિમીની ત્રિજ્યામાં આવતા વડનગર, તારંગા, અંબાજી અને રાંકી વાવ જેવા વિવિધ સ્થળોને પણ આવરી લેવામાં આવશે. આ પ્રોજેક્ટ પાછળ રાજ્ય સરકાર રૂ. 1100 કરોડનો ખર્ચ કરશે. જેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં ધરોઇ ડેમ સાઇટની મુલાકાત લઇ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રોજેક્ટ ઉત્તર ગુજરાતમાં તીર્થસ્થળો, સાહસિક સ્થળો અને પર્યાવરણીય અને મનોરંજન પ્રવૃત્તિઓના વિકાસમાં પરિણમશે જે પ્રાદેશિક પ્રવાસનને વેગ આપશે અને સમગ્ર પ્રદેશને આર્થિક પ્રોત્સાહન આપશે. આ ઉપરાંત પ્રવાસીઓની અવરજવરથી સ્થાનિક સ્તરે આર્થિક ગતિવિધિઓને વેગ મળશે અને રોજગારીની તકો પણ ઉભી થશે.