(GNS),તા.14
ગાંધીનગર,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાજ્ય, શહેરો અને ગામડાઓમાં સ્વચ્છતા માટેના આહ્વાનને દેશના નાગરિકો દ્વારા જન ચળવળમાં પરિવર્તિત કરી તેઓ સ્વચ્છ ભારતના નિર્માણ તરફ આગળ વધ્યા છે.સ્વચ્છતા હી સેવા અભિયાનના ભાગરૂપે, 18 અલગ-અલગ થીમ- આગામી બે મહિના સુધી રાજ્યમાં સ્વચ્છતા આધારિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે.
આ આયોજન સંદર્ભે 15મી ઓક્ટોબરને રવિવારના રોજ મહાનગરપાલિકા દ્વારા સવારે 9:00 કલાકે સેક્ટર-6 સિટી બસ સ્ટેન્ડ, સેક્ટર-11 પથિકાશ્રમ બસ ડેપો, રેલવે સ્ટેશન અને અન્ય તમામ વોર્ડમાં પીકઅપ સ્ટેન્ડની સફાઈનો કાર્યક્રમ યોજાશે. , જનજાગૃતિની સાથે સાથે આ સ્વચ્છતા અભિયાનમાં વધુને વધુ લોકો જોડાય તે માટે સફાઈ શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.