ડમી કેસઃ ભાવનગર ડમી કેસમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને આજે રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જોકે, પોલીસે રિમાન્ડની માંગણી કર્યા વગર યુવરાજને ફરીથી જેલમાં મોકલી આપ્યો હતો. અગાઉ તે પોલીસ સમક્ષ હાજર થયો હતો અને પોલીસે તેને રિમાન્ડ પર લીધો હતો.
રિમાન્ડ પૂર્ણ થતાં આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે રિમાન્ડની માંગણી ન કરતાં કોર્ટે તેને જેલમાં મોકલી આપ્યો હતો.
યુવરાજસિંહ જાડેજાએ કોર્ટમાં હાજર થયા પહેલા મીડિયાને આપેલા નિવેદનમાં કહ્યું કે આ શરૂઆત છે, અંત આવવાનો બાકી છે. જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ પાંચ પાંડવો પણ આવશે. ધર્મયુદ્ધ હમણાં જ શરૂ થયું છે.
હજુ ઘણું બધું આવવાનું છે અને તે જાહેર થશે. આજે યુવરાજસિંહ અને કાનભા જાડેજા, રાજુ પઠાણના રિમાન્ડ પણ પૂર્ણ થતા તેઓને પણ વધારાના રિમાન્ડ વિના જેલમાં મોકલી દેવાયા હતા.