નેપાળના રાસુવા જિલ્લામાં તિબેટ સરહદ નજીક આવેલા પ્રચંડ પૂર બાદ રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. નેપાળના વિદેશ પ્રધાન શિશિર ખનાલે મંગળવારે જણાવ્યું હતું કે ભોટે કોશી નદીમાં આ વિનાશક પૂર તિબેટ ક્ષેત્રમાં ભૂકંપના કારણે હિમપ્રપાતને કારણે થયું હોઈ શકે છે. આ દુર્ઘટનામાં 22 લોકોના મોત થયા છે અને અત્યાર સુધીમાં 142 ભારતીયો સહિત લગભગ 400 લોકો લાપતા હોવાના અહેવાલ છે.
રાસુવા જિલ્લા વહીવટીતંત્ર અને સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, અચાનક આવેલા પૂરથી અનેક વસાહતો અને માળખાગત સુવિધાઓ ધોવાઈ ગઈ છે.
ગુમ થયેલા 400માં ઓછામાં ઓછા 142 ભારતીય નાગરિકો, 93 નેપાળી નાગરિકો અને યુએસ, મલેશિયા, બ્રિટન, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડના 141 વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે.
તિબેટમાંથી નીકળતી ભોટે કોશી નદીનું પાણી સવારે 9 વાગ્યે વધ્યું, જેના કારણે રાસુવા જિલ્લાના તૈમુરે અને સ્યાપ્રુ બેસી વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થયા છે. આ સિવાય ધાડિંગ અને નુવાકોટ જિલ્લામાં પણ નુકસાન થયું છે.

