રવિવારે યુક્રેનના રક્ષા મંત્રાલય દ્વારા મા કાલીનો એક વાંધાજનક તસ્વીર ટ્વીટ કરવામાં આવ્યો હતો જેનાથી ભારે વિવાદ સર્જાયો છે. ભારતીયોએ તેને હિન્દુફોબિક ગણાવીને સોશિયલ મીડિયા પર સખત વાંધો વ્યક્ત કર્યો હતો, જેના પછી તરત જ કાર્ટૂનને કાઢી નાખવામાં આવ્યું હતું. માહિતી અને પ્રસારણ મંત્રાલયના વરિષ્ઠ સલાહકાર કંચન ગુપ્તાએ કાર્ટૂનની ટીકા કરી અને કહ્યું કે આ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા હિન્દુઓની ભાવનાઓ પર હુમલો છે. જોકે, મંગળવારે યુક્રેને કાર્ટૂન માટે માફી માંગી છે.
યુક્રેનના ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર એમિન ઝાપારોવાએ પોતાના એક ટ્વીટમાં કહ્યું છે કે યુક્રેનના રક્ષા મંત્રાલય દ્વારા મા કાલીને લઈને કરવામાં આવેલા ટ્વીટ પર તેમને ખેદ છે.
તેમણે કહ્યું, ‘અમને ખેદ છે કે યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે હિંદુ દેવી કાલીનું વિકૃત રીતે ચિત્રણ કર્યું. યુક્રેન અને તેના લોકો અનન્ય ભારતીય સંસ્કૃતિનો આદર કરે છે અને અમે ભારત તરફથી આપવામાં આવતી મદદની પ્રશંસા કરીએ છીએ. ચિત્ર પહેલેથી જ દૂર કરવામાં આવ્યું છે. યુક્રેન પરસ્પર આદર અને મિત્રતાની ભાવનામાં સહકારને વધુ વધારવા માટે પ્રતિબદ્ધ છે.
તસવીર પર શા માટે હોબાળો થયો હતો
યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટમાં બે ફોટોગ્રાફ્સનો કોલાજ ટ્વિટ કર્યો છે. પ્રથમ તસવીરમાં ધુમાડાનો એક બલૂન આકાશને સ્પર્શતો જોવા મળ્યો હતો. વાસ્તવમાં, આ તસવીર શનિવારની છે જ્યારે રશિયાએ ક્રિમિયામાં ડ્રોન વડે યુક્રેનના 10 ઓઈલ ટેન્કરો પર હુમલો કર્યો હતો. હુમલા બાદ ત્યાં ધુમાડાના ગોટેગોટા ઉગ્યા હતા. આ તસવીર પર યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે મા કાલીનું વાંધાજનક ચિત્ર લગાવ્યું અને કેપ્શન આપ્યું – વર્ક ઓફ આર્ટ.