ગાંધીનગર.
ગુજરાત પરીક્ષા બોર્ડ દ્વારા નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષામાં બેસી શકે તે માટે જૂન મહિનામાં પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, નિયમો અનુસાર નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માત્ર બે વિષયમાં જ પરીક્ષા આપી શકે છે. 3 વિષયોમાં નાપાસ થનાર ઉમેદવારો પૂરક પરીક્ષામાં બેસી શકશે નહીં. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્યએ આ વર્ષે ત્રણ વિષયોની પૂરક પરીક્ષા લેવાનો પ્રસ્તાવ મુખ્ય પ્રધાનને પત્ર લખ્યો છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના સભ્યો દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં ભવિષ્યમાં 12મા ધોરણની વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષામાં 3 વિષયોનો સમાવેશ કરવા જણાવાયું છે. ગત માર્ચ 2023 માં શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવામાં આવેલ ધોરણ વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષા, તેનું પરિણામ તાજેતરમાં શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ખૂબ જ ઓછું જાહેર કરવામાં આવ્યું છે.
આ પરિણામ મુજબ એક વિષયમાં 490, બે વિષયમાં 9401 અને ત્રણ વિષયમાં 17,902 જેટલા વિદ્યાર્થીઓ નાપાસ જાહેર થયા છે. શિક્ષણ બોર્ડ દ્વારા જુલાઈ મહિનામાં બે વિષયમાં નાપાસ થયેલા ઉમેદવારો માટે પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંજોગોમાં વિદ્યાર્થીઓના શિક્ષણના હિતમાં જુલાઇ માસમાં 3 વિષયોની પૂરક પરીક્ષા લેવામાં આવે તો 17902 જેટલા વિદ્યાર્થીઓને લાભ મળી શકે તેમ છે. સદસ્ય દ્વારા એવું સૂચન કરવામાં આવ્યું છે કે આગામી પૂરક પરીક્ષામાં ખાસ કિસ્સામાં એક વર્ષ માટે ત્રણ વિષયની પરીક્ષાઓ લેવામાં આવી શકે છે.