રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર ગુજરાત રાજ્યમાં ગાંધીનગરથી શુભ યાત્રા સ્વચ્છ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. જેના અંતે સમગ્ર ગુજરાતમાં એસટી ડેપોમાં સ્વચ્છતા અંગેના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા યાત્રા દરમિયાન મુસાફરોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે માટે વિસનગર એસટી ડેપો ખાતે સ્વચ્છતા વિષય પર નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. બસ સ્ટેન્ડને સ્વચ્છ રાખવા નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાટ્ય કલાકારોએ સ્વચ્છતા વિષય પર નાટક રજુ કરી બસ સ્ટેશન પર મુસાફરોને સ્વચ્છતાનો સંદેશો આપી તેમનું મનોરંજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મુસાફરોએ નાટક નિહાળવાનો મોકો લીધો હતો.
શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અંતર્ગત એસટી નિગમ દ્વારા વિવિધ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં પહેલા સ્વચ્છતા ઝુંબેશ, હવે બસ સ્ટેશનમાં મુસાફરોને સ્વચ્છતા અંગે જાગૃત કરવા મેસેજ વગાડવામાં આવી રહ્યો છે. ત્યારે વિસનગર એસટી ડેપોમાં પણ સંસ્થા દ્વારા મુસાફરોમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ કેળવાય અને કચરો ડસ્ટબીનમાં ફેંકીને સ્વચ્છતા જાળવવા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચરો ન નાંખવા અને ડસ્ટબીનમાં કચરો ન ફેંકવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. જેમાં એસટી ડેપોમાં મુસાફરોને મનોરંજન સાથે સ્વચ્છતાનો જનજાગૃતિનો સંદેશો આપવામાં આવ્યો હતો. જેમાં એસટી ડેપો મેનેજર હિમાંશુ ઝાલા, ટીઆઈ પ્રવીણભાઈ, એટીઆઈ નરસિંહભાઈ પટેલ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં મુસાફરોએ સ્વચ્છતા આધારિત નાટક નિહાળ્યું હતું.