બનાસકાંઠા જિલ્લામાં ખાણ ખનીજ વિભાગના વાહનોની જાસૂસી કરવાના કેસમાં એલસીબીએ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને રિમાન્ડ દરમિયાન વધુ બે જીપીએસ મળી આવ્યા હતા. આરોપીઓએ 4 જીપીએસ ખરીદ્યા હોવાનું સામે આવ્યું છે.
બનાસકાંઠા જિલ્લાના ખાણ અને ખનીજ વિભાગના સરકારી વાહનમાં જીપીએસ લગાવવાના મામલે LCBએ ત્રણ લોકોની ધરપકડ કરી છે. જેમાં પોલીસે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. જેમાં પાલનપુર કોર્ટે ત્રણેય ઇસમોને ત્રણ દિવસના રિમાન્ડ પર લીધા હતા. રિમાન્ડ દરમિયાન પોલીસે ભરત ઠાકોર નામના ઇસમ પાસેથી વધુ બે જીપીએસ કબજે કર્યા હતા. રિમાન્ડ પર લેવાયેલા ત્રણેય આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓએ ચાર જીપીએસ ખરીદ્યા હતા. એલસીબીની તપાસમાં વધુ ખુલાસા થવાની શકયતા છે.
બનાસકાંઠા જિલ્લાના ખાણ અને ખનીજ વિભાગના સરકારી વાહનમાં જીપીએસ લગાવવાના મામલે LCBએ ત્રણ લોકોની ધરપકડ કરી છે. જેમાં પોલીસે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. જેમાં પાલનપુર કોર્ટે ત્રણેય ઇસમોને ત્રણ દિવસના રિમાન્ડ પર લીધા હતા. રિમાન્ડ દરમિયાન પોલીસે ભરત ઠાકોર નામના ઇસમ પાસેથી વધુ બે જીપીએસ કબજે કર્યા હતા. રિમાન્ડ પર લેવાયેલા ત્રણેય આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓએ ચાર જીપીએસ ખરીદ્યા હતા. એલસીબીની તપાસમાં વધુ ઘટસ્ફોટ થવાની શક્યતા છે.