રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના રહેવાસી છગનલાલ કામજી ડેંડોરનું 28 એપ્રિલ 2023ની રાત્રે મહેસાણા જિલ્લાના વિજાપુરના ગડ્ડા ગામમાં કમોસમી વરસાદ અને વીજળી પડવાને કારણે મૃત્યુ થયું હતું. જ્યાં બાદમાં પરિજનો મૃતદેહને તેમના વતન લઇ ગયા હતા. જે બાદ ગડ્ડા ગામના તલાટીએ સરકાર દ્વારા કુદરતીીકરણ દરમિયાન મૃત્યુના કિસ્સામાં સહાય માટે દરખાસ્ત તૈયાર કરવા પરિવારને તમામ દસ્તાવેજો પૂરા પાડ્યા હતા.
તલાટી કોમ મંત્રી રાકેશ પ્રજાપતિએ જાતે ડુંગરપુર ગામે જઈને સરકાર પાસેથી કુદરતી આફત વખતે મૃત્યુ સહાયના દસ્તાવેજો મેળવી સહાયની દરખાસ્ત તૈયાર કરી તાલુકામાં મોકલી આપી હતી. મૃતક છગનલાલ કમજી ડેંડોરના પત્ની અખામાણી છગનલાલને તાલુકા વિકાસ અધિકારી અને તલાટી મંત્રી દ્વારા રૂ.4 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.