વેરાવળના કેટલાક વિસ્તારોમાં તાજેતરમાં અજાણ્યા શખ્સો દ્વારા શ્વાનને ભેદી રીતે ઝેરી ખોરાક જેવો પદાર્થ ખવડાવી મોતને ઘાટ ઉતારી દેવાતા વન્યજીવ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે. આ પ્રવૃતિ બંધ કરવા કલેકટરને લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
વેરાવળના જીવદયાપ્રેમીઓએ આપેલી તહેરીરમાં છેલ્લા બે માસથી શહેરના જુના કુંભારવાડા, લોહાણા હોસ્પિટલની આસપાસના વિસ્તારોમાં અજાણ્યા શખ્સો દ્વારા ઝેરી દવા પીવડાવવાની પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. જેમાં રાત્રીના બે વાગ્યા પછી શ્વાનને રહસ્યમય ખોરાક ખવડાવવામાં આવે છે, જે ખાવાથી કૂતરાઓને તકલીફ થવા લાગે છે અને તેઓ થોડા જ સમયમાં મૃત્યુ પામે છે. આ ક્રિયા મોડી રાત્રે બધા ઊંઘી ગયા પછી થતી હોવાથી કોણ કરી રહ્યું છે તે જાણી શકાયું નથી. આ વિસ્તારોમાં રખડતા કૂતરાઓ ક્યારેય રાહદારીને પરેશાન કરતા નથી તેમ છતાં તેઓ અજાણ્યા લોકો દ્વારા માર મારવાની ગેરકાયદેસર પ્રવૃત્તિનો ભોગ બને છે. જેના કારણે જીવદયા પ્રેમીઓમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે. અબોલ કૂતરાઓના ગેરકાયદેસર રીતે મારણની ચાલી રહેલી ભેદી પ્રવૃતિને અટકાવવા માટે છેલ્લીવાર પગલા ભરવા માંગ કરાઇ છે.