જામનગર, કૃષિ મંત્રી અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલની સતત રજુઆતને ધ્યાને લેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે જામનગર ગ્રામ્ય વિસ્તારના વિવિધ રોડ-રસ્તાના મરામત અને રી-સરફેસિંગના કાર્યોને મંજુરી આપવામાં આવી છે.
જેમાં જામનગર ગ્રામ્ય, જોડિયા અને ધ્રોળ તાલુકામા કુલ ૩૪ કિલોમીટર રોડ રી-સરફેસિંગ અને આનુષંગિક કામગીરી સહિત કુલ રૂ.૨૪.૪૦ કરોડના કામોને મંજુરી આપવામાં આવી છે.
આ અંગે રાઘવજી પટેલે કહ્યું હતું કે,ચોમાસા દરમિયાન જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક રોડ-રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા હતા. આ ક્ષતિગ્રસ્ત રોડ-રસ્તાના પરિણામે કોઈ દુર્ઘટના ન સર્જાય કે નાગરિકોને પરેશાન ન થવું પડે તે ક્ષતિગ્રસ્ત રોડ-રસ્તાના રી-સરૅફેસિંગ સહિતના કામો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજુઆત કરી હતી.
રજુઆતોને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈ જામનગરના નાગરિકોના હિતમાં ૩૪ કિલોમીટરના કુલ ૯ રસ્તાઓના રિ-સરફેસિંગ કામને મંજુરી આપવામાં આવી છે.
તેમણે રસ્તાઓની વિગતો આપતા કહ્યું કે, જામનગર તાલુકામાં સરમત-વસઈ રોડ, ઢીંચડાથી રાજ્ય ધોરીમાર્ગ સુધીનો રોડ, જગા-વરણા રોડ, વિજરખી-મિયાત્રા, નાના થાવરિયા હડમતિયા રોડ,
તેમણે રસ્તાઓની વિગતો આપતા કહ્યું કે, જામનગર તાલુકામાં સરમત-વસઈ રોડ, ઢીંચડાથી રાજ્ય ધોરીમાર્ગ સુધીનો રોડ, જગા-વરણા રોડ, વિજરખી-મિયાત્રા, નાના થાવરિયા હડમતિયા રોડ,
અલિયાથી રેલ્વે સ્ટેશન એપ્રોચ રોડ અને સુમરી-મોટી ભલસાણ રોડ મળી કુલ ૨૧ કિલોમીટર રોડના રી-સરફેસિંગ માટે રૂ.૧૭.૧૦ કરોડના કામને મંજુરી આપવામાં આવી છે. જોડિયા તાલુકાના બાલાચડીથી રાજ્ય ધોરીમાર્ગ સુધીનો રોડ અને લીંબુડાથી રાજ્ય ધોરીમાર્ગ સુધીના રોડને મળી કુલ ૬ કિ.મી. રોડનારી-સરફેસિંગ માટે રૂ.૩.૩૦ કરોડના કામ તેમજ ધ્રોલ તાલુકાના વાંકિયા ખંભાલીડા રસ્તાના ૭ કિ.મી. રોડના રી-સરફેસિંગ માટે રૂ.૪ કરોડ મંજુર કરવામાં આવ્યા છે.

