IRCTC નવા નિયમો: જો તમે ટ્રેનમાં મુસાફરી કરો છો અને ટિકિટ ઓનલાઈન બુક કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. IRCTCએ ટિકિટ બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. 28 ઓક્ટોબર, 2025 થી, હવે સવારે 8 થી સવારે 10 વાગ્યા સુધીનો સમય ફક્ત આધાર વેરિફાઈડ યુઝર્સ માટે રાખવામાં આવ્યો છે. એટલે કે, જો તમે તમારું IRCTC એકાઉન્ટ આધાર સાથે લિંક કર્યું નથી, તો તમે આ સમય દરમિયાન ટિકિટ બુક કરી શકશો નહીં.
રેલવેનું કહેવું છે કે આ પગલાથી એજન્ટો દ્વારા નકલી બુકિંગ, બોટ્સ અને ટિકિટની હેરાફેરી અટકાવવામાં આવશે. આ તે સમય છે જ્યારે નવી ટ્રેનની ટિકિટ ખુલે છે અને માંગ સૌથી વધુ હોય છે. હવે આ સ્લોટમાં માત્ર સાચા મુસાફરોને જ બુકિંગ કરવાની મંજૂરી આપવામાં આવશે. જો તમે હજુ સુધી આધાર લિંકિંગ નથી કરાવ્યું તો તરત જ કરો નહીંતર કન્ફર્મ ટિકિટ મળવાની તક જતી રહી શકે છે.
શું છે નવો નિયમ?
28 ઓક્ટોબર, 2025 થી, રેલ્વેએ સવારે 8 થી 10 વાગ્યાના સ્લોટમાં આધાર વેરિફિકેશન ફરજિયાત બનાવ્યું છે. આ બે કલાકના સમયગાળા દરમિયાન, ફક્ત તે મુસાફરો જ ટિકિટ બુક કરી શકશે જેમનું આઈઆરસીટીસી એકાઉન્ટ આધાર સાથે વેરિફાઈડ છે. બાકીના વપરાશકર્તાઓ રાત્રે 10 વાગ્યા પછી સામાન્ય રીતે ટિકિટ બુક કરી શકશે.
રેલ્વે અનુસાર, આ સમય “હાઇ ડિમાન્ડ સ્લોટ” છે જેમાં મોટાભાગના લોકો કન્ફર્મ ટિકિટ માટે બુકિંગ કરાવે છે. અગાઉ, આ સમય દરમિયાન, એજન્ટો અથવા બોટ એક સાથે ઘણી ટિકિટ બુક કરાવતા હતા, જેના કારણે સામાન્ય મુસાફરો ટિકિટ મેળવી શકતા ન હતા. હવે આધાર ઓથેન્ટિકેશનથી સિસ્ટમ વધુ સુરક્ષિત બનશે.
IRCTC એકાઉન્ટ સાથે આધારને કેવી રીતે લિંક કરવું?
જો તમે હજુ સુધી તમારા IRCTC એકાઉન્ટને આધાર સાથે લિંક નથી કરાવ્યું તો આ કામ થોડીવારમાં ઘરે બેસીને કરી શકાય છે.

