Ashwamedh Mahayagna Mahotsav 2026: રિધમસ ફાઉન્ડેશન દ્વારા આયોજિત “અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવ – 2026” અંગે વિશદ માહિતી આપવા માટે એક વિશેષ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ બપોરે 2 થી 5 વાગ્યા સુધી, AMA (Ahmedabad Management Association), ડૉ. વિકરમ સારાભાઇ માર્ગ, યુનિવર્સિટી વિસ્તાર, અમદાવાદ ખાતે યોજાશે.
આ પ્રસંગે 5555 એકર વિસ્તારમાં થનારા ભવ્ય મહોત્સવના ધાર્મિક, વૈદિક અને ચેરીટેબલ પાસાં ઉપરાંત વિશ્વ રેકોર્ડ સ્તરના કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવશે.
પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ
અક્ષધમ મહાધામ મહોત્સવ – 2026 નો સંપૂર્ણ પરિચય
5555 એકર વિસ્તારમાં થનારા વૈદિક, ધાર્મિક અને ચેરીટેબલ કાર્યક્રમોની જાણકારી
ભારત તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે થનારી ભાગીદારી
21+ વિશ્વ રેકોર્ડ્સના લક્ષ્યો અને વિજન
ટેનિસ, યોગ, સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રવૃત્તિઓની રૂપરેખા
મહોત્સવ દરમ્યાન ભક્તો માટેની સુવિધાઓ
આ પ્રસંગે વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ, વિદ્વાનો, ધાર્મિક નેતાઓ અને મીડિયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.
ભારતના ઇતિહાસમાં અદ્વિતીય એવા આ મહોત્સવ અંગે મહત્વપૂર્ણ માહિતી મીડિયા માધ્યમ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવશે.

