પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ જનમન)ના અમલીકરણમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે
પીએમ જનમન હેઠળ ગુજરાતમાં પીએમ આવાસ-ગ્રામીણ યોજના અંતર્ગત14,552આવાસો મંજૂર કરવામાં આવ્યા
પીએમ જનમન હેઠળ રાજ્યમાં ખાસ નબળા આદિવાસી જૂથો (PVTG)ના6630 ઘરોમાંવીજળી સુવિધા પૂરી પાડીને ગુજરાતે આદિજાતિ સમુદાયોના ઘરોમાં100ટકા વીજળીકરણ પૂર્ણ કર્યું
Gandhinagar, પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સ (PVTGs)એટલે કે ખાસ નબળા આદિજાતિ જૂથોની ખૂટતી જરૂરિયાતો અને સુવિધાઓની પૂર્તિ કરીને તેમના સર્વાંગી વિકાસ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ જનમન) મિશન અમલી બનાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં,પીએમ જનમનના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં ટોચનું રાજ્ય બન્યું છે.
ભારત સરકાર દ્વારા પીએમ જનમનના અમલીકરણ સંદર્ભે દેશના જુદા જુદા રાજ્યોની પ્રગતિને ધ્યાને લઇને જે રેંકિંગ જાહેર કરવામાં આવ્યું છે,તેમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે છે. ભારત સરકાર દ્વારા તારીખ17ઓક્ટોબર, 2025ના રોજ નવી દિલ્હી ખાતે આયોજિત નેશનલ કોન્ક્લેવમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે ગુજરાત રાજ્યને “બેસ્ટ પર્ફોર્મિંગ સ્ટેટ”નો પુરસ્કાર આપવામાં આવ્યો છે. ગુજરાતની આ સિદ્ધિ દર્શાવે છે કે આદિજાતિના વિકાસ અને કલ્યાણ માટે રાજ્ય સરકાર મજબૂત પ્રયાસો કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે,ભારતના18રાજ્યો અને1કેન્દ્રશાસિત પ્રદેશમાં વસતા75પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સ (PVTG)એટલે કે ખાસ નબળા આદિજાતિ જૂથોનો સર્વાંગી સામાજિક-આર્થિક વિકાસ સુનિશ્ચિત કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ15નવેમ્બર, 2023ના રોજ ‘જનજાતીય ગૌરવ દિવસ’ નિમિત્તે પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ જનમન) મિશનનો પ્રારંભ કર્યો હતો.
આ મિશનનો ઉદ્દેશ નિશ્ચિત સમયમર્યાદામાં ખાસ નબળા આદિજાતિ જૂથો (PVTG)ને આરોગ્ય,શિક્ષણ,માળખાગત સુવિધાઓ,પાણી,વીજળી,આજીવિકા અને કનેક્ટિવિટી જેવી પાયાની સુવિધાઓ પૂરી પાડીને તેમનું સામાજિક ઉત્થાન કરવાનો છે. ગુજરાતમાં આવા5ખાસ નબળા આદિજાતિ જૂથો (PVTG)વસે છે,જેમાં કાથોડી,કોટવાળિયા,પઢાર,સિદ્દી અને કોલઘા જૂથોનો સમાવેશ થાય છે. આવા જૂથોને ખૂટતી પાયાની સુવિધાઓની પૂર્તિ કરવા માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે.
પીએમ જનમન મિશન હેઠળ ગુજરાતે કરેલી પ્રગતિ
પીએમ જનમન મિશન હેઠળ ખાસ નબળા આદિજાતિ જૂથો (PVTGs)ને ખૂટતી પાયાની સુવિધાઓની પૂર્તિ કરવામાં આવે છે,જેમાં આવાસ,રોડ-રસ્તાની કનેક્ટિવિટી,પાઇપ મારફતે પાણીનો સપ્લાય,આરોગ્ય અને શિક્ષણની સુવિધાઓ,મહિલાઓ માટે આંગણવાડીઓનું નિર્માણ,વીજળીકરણ,મોબાઈલ ટાવરનું ઇન્સ્ટોલેશન,વન ધન વિકાસ કેન્દ્રો તેમજ મલ્ટીપર્પઝ સેન્ટરોની સ્થાપનાનો સમાવેશ થાય છે.
આ મિશન હેઠળ આ સમુદાયના લોકોના ઘર-પરિવારોનો સર્વે કરીને કોને કઈ સુવિધાની જરૂર છે,અને ક્યાં કેટલો ગેપ રહેલો છે,તે શોધીને તે મુજબ સુવિધાઓના લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યા છે,અને તે મુજબ તેમને પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
ગુજરાત રાજ્યમાં પીએમ જનમન હેઠળ PVTGસમુદાયો માટે દ્વારા14,552આવાસોના નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત,રાજ્યમાં વસતા આ સમુદાયના લગભગ2803ઘરોમાં પાઇપલાઇન મારફતે પાણીની જરૂર હતી,અને આ તમામ એટલે કે100%ઘરોમાં પાઈપ મારફતે પાણી પૂરું પાડવામાં આવ્યું છે.

