મોદી સરકારે શુક્રવારે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ-મનરેગા (MGNREGA) નું નામ બદલી નાખ્યું છે. હવે આ યોજના પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર યોજના તરીકે ઓળખાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય કેબિનેટે શુક્રવારે નામ બદલવા અને કામકાજના દિવસોની સંખ્યા વધારવાના બિલને મંજૂરી આપી દીધી છે.
સરકારે આ યોજના હેઠળ મળતા લાભોમાં પણ વધારો કર્યો છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, નામ બદલવાની સાથે, તેના હેઠળ કામકાજના દિવસોની સંખ્યા વર્તમાન 100 દિવસથી વધારીને 125 દિવસ કરવામાં આવી છે. મતલબ કે હવે વર્ષમાં 100 દિવસની જગ્યાએ 125 દિવસ રોજગારની ગેરંટી મળશે.
મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના, જે MGNREGA અથવા MNREGA તરીકે જાણીતી છે, તે સરકારની એક મુખ્ય યોજના છે જેનો હેતુ ગ્રામીણ વિસ્તારોમાં પરિવારોની આજીવિકાની સુરક્ષા વધારવાનો છે. આ અંતર્ગત ગ્રામીણ વિસ્તારના દરેક પરિવારને નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસની રોજગારીની ખાતરી આપવામાં આવે છે. હવે તે ઘટાડીને 125 દિવસ કરવામાં આવ્યો છે.
આ યોજના યુપીએ-1 સરકારની મુખ્ય યોજનાઓમાંની એક રહી છે. તેની શરૂઆત વર્ષ 2005માં કરવામાં આવી હતી. હાલમાં આ યોજના હેઠળ 15 કરોડથી વધુ લોકો કામ કરી રહ્યા છે. લાભાર્થીઓમાં લગભગ એક તૃતીયાંશ મહિલાઓ છે. મનમોહન સિંહ સરકારમાં શરૂ થયેલી આ યોજનાનું પ્રારંભિક નામ રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો હતું, તેનું નામ 2009માં મહાત્મા ગાંધીના નામ પરથી રાખવામાં આવ્યું હતું.

