વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડા પ્રધાન અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના પ્રમુખ બેગમ ખાલિદા ઝિયાના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. ખાલિદાનું મંગળવારે સવારે નિધન થયું હતું. તેણી 80 વર્ષની હતી. લાંબા સમયથી બિમારીથી પીડિત ખાલિદા ઝિયાને છેલ્લા ઘણા અઠવાડિયાથી ઢાકાની એવરકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં સવારે લગભગ 6 વાગે ફજરની નમાજ બાદ ટૂંક સમયમાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
પીએમ મોદીએ બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડા પ્રધાન તરીકે ખાલિદા ઝિયાના યોગદાનને યાદ કર્યું અને ભારત-બાંગ્લાદેશ સંબંધોને મજબૂત બનાવવામાં તેમની ભૂમિકાની પ્રશંસા કરી. તેમણે 2015માં ઢાકામાં તેમની મીટિંગને પણ યાદ કરી.
પીએમ મોદીએ તેમના સત્તાવાર એન્ક્સ હેન્ડલ પર લખ્યું – ઢાકામાં પૂર્વ વડાપ્રધાન અને બીએનપી અધ્યક્ષ બેગમ ખાલિદા જિયાના નિધન વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું. તેમના પરિવાર અને બાંગ્લાદેશના તમામ લોકો પ્રત્યે અમારી ઊંડી સંવેદના. ભગવાન તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે, બાંગ્લાદેશ તેમજ ભારત-બાંગ્લાદેશ સંબંધોના વિકાસમાં તેમના મહત્વપૂર્ણ યોગદાનને હંમેશા યાદ કરવામાં આવશે. મને 2015 માં ઢાકામાં તેમની સાથેની મારી મુલાકાત યાદ છે. અમે આશા રાખીએ છીએ કે તેમની દ્રષ્ટિ અને વારસો અમારી ભાગીદારીને આગળ જતાં માર્ગદર્શન આપતા રહેશે. તેમની આત્માને શાંતિ મળે.
ખાલિદા જિયા લાંબા સમયથી લિવર સિરોસિસ, ડાયાબિટીસ, હૃદય રોગ, કિડની અને ફેફસા સંબંધિત સમસ્યાઓથી પીડિત હતા. નવેમ્બરમાં તેમની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના નિધનથી બાંગ્લાદેશમાં શોકની લહેર પ્રસરી ગઈ છે.

