વર્ષ 2025માં રિલીઝ થયેલી રણવીર સિંહની ધુરંધર ઘણી મોટી ફિલ્મોના રેકોર્ડ તોડી ચૂકી છે. ફિલ્મને રિલીઝ થયાને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ ફિલ્મની કમાણી હજુ પણ ચાલુ છે. ધુરંધર વર્ષ 2025ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. હવે ચાહકો ફિલ્મના બીજા ભાગની રાહ જોઈ રહ્યા છે. ચાહકોને બીજા ભાગ પાસેથી પણ ઘણી અપેક્ષાઓ છે. પાર્ટ 2ની રિલીઝ પહેલા ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્માએ ફિલ્મ વિશે ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યું કે, ધુરંધર 2 સિનેમાના ઈતિહાસની સૌથી મોટી મલ્ટિસ્ટારર ફિલ્મ હશે.
શું છે રામ ગોપાલ વર્માની ધુરંધર 2 અંગેની ભવિષ્યવાણી?
શનિવારે રામ ગોપાલ વર્માએ તેમના X હેન્ડલ પર ધુરંધર 2 વિશે ભવિષ્યવાણી કરી હતી. તેમણે કહ્યું કે ધુરંધર 2 સિનેમાના ઈતિહાસની સૌથી મોટી મલ્ટી-સ્ટારર ફિલ્મ હશે કારણ કે ધુરંધર ભાગ 1 નું દરેક પાત્ર દર્શકોના મનમાં ઘણું મોટું બની ગયું છે.
રામ ગોપાલ વર્માએ આગળ લખ્યું કે પહેલા ભાગમાં પાત્રો મોટા કે નાના હોઈ શકે છે, પરંતુ હવે તે બધા મોટા સુપરસ્ટાર બની ગયા છે, તેથી ધુરંધર ભાગ 2 સૌથી મોટી મલ્ટીસ્ટારર ફિલ્મ હશે.
ધુરંધર ભાગ 2 ક્યારે રિલીઝ થશે?
ધુરંધર પાર્ટ 2 ની વાત કરીએ તો આ ફિલ્મ 19 માર્ચ, 2026ના રોજ રીલિઝ થશે. રણવીર સિંહના પાત્ર હમઝાની બેક સ્ટોરી આદિત્ય ધરની ધુરંધર પાર્ટ 2માં જોવા મળશે. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મમાં અક્ષય ખન્નાના પાત્ર રહેમાન ડાકુની બેક સ્ટોરી પણ જોવા મળશે.

