બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપમાંથી બહાર થવાથી પાકિસ્તાન સૌથી વધુ દુઃખી છે. બાંગ્લાદેશ સુરક્ષા કારણોસર ભારતમાં આગામી T20 વર્લ્ડ કપ મેચો રમવા માંગતું ન હતું અને તેણે ICCને તેમની મેચો શ્રીલંકામાં શિફ્ટ કરવા કહ્યું હતું. આ મામલે પાકિસ્તાન સંપૂર્ણપણે બાંગ્લાદેશના સમર્થનમાં હતું. પાકિસ્તાને આઈસીસીને ધમકી પણ આપી હતી કે જો બાંગ્લાદેશ ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ જશે તો તે ટી-20 વર્લ્ડ કપમાંથી પોતાનું નામ પણ પાછું ખેંચી શકે છે. હવે ICCએ પોતાનો નિર્ણય સંભળાવ્યો છે, જેના કારણે પાકિસ્તાનના ઘણા પૂર્વ ખેલાડીઓ ગુસ્સે થઈ ગયા છે. તેમાંથી એક છે પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી, જેણે ભારતનું નામ લઈને ICC પર હુમલો કર્યો છે.
શાહિદ આફ્રિદીનું કહેવું છે કે જ્યારે ભારતે સુરક્ષા કારણોસર 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન જવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે ICCએ તટસ્થ સ્થળોએ ભારતની મેચોનું આયોજન કર્યું હતું, પરંતુ બાંગ્લાદેશના કિસ્સામાં ICC સમાન સમજણ બતાવવા તૈયાર નથી.
શાહિદ આફ્રિદીએ લખ્યું

