અભિનેતા રાજપાલ યાદવે દિલ્હીની તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું છે. તમે આ સમાચાર વાંચ્યા જ હશે, પરંતુ શું તમે જાણો છો કે રાજપાલ યાદવે સરેન્ડર કરતા પહેલા શું નિવેદન આપ્યું હતું? તેણે તિહાર જેલના અધિકારીઓને જે કહ્યું તેનાથી બધા ચોંકી ગયા. તેમના આ નિવેદને ફરી એકવાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સંબંધો પર સવાલો ઉભા કર્યા છે અને ચાહકોને ભાવુક કરી દીધા છે.
રાજપાલ યાદવનું નિવેદન
રાજપાલે આત્મસમર્પણની ક્ષણો પહેલા તિહાર જેલના અધિકારીઓને એક ભાવનાત્મક નિવેદન આપ્યું હતું. સમાચાર મુજબ
કયો ચેક બાઉન્સ થયો, શું છે સમગ્ર મામલો?
આ મામલો વર્ષ 2010નો છે. રાજપાલ યાદવે તેની દિગ્દર્શિત ફિલ્મ ‘આતા પતા લપતા’ને ફાઇનાન્સ કરવા માટે મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી 5 કરોડ રૂપિયા ઉછીના લીધા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી અને અભિનેતા આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયો. આટલું જ નહીં બેંકમાં પૈસા ન હોવાને કારણે તેને આપેલો ચેક પણ બાઉન્સ થયો હતો.
છ મહિના જેલમાં?
એપ્રિલ 2018 માં, એક મેજિસ્ટ્રેટ કોર્ટે રાજપાલ યાદવ અને તેની પત્નીને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ દોષિત ઠેરવ્યા અને તેમને છ મહિનાની જેલની સજા ફટકારી. રાજપાલ યાદવે આ નિર્ણયને પડકાર્યો હતો અને અનેક અપીલ દ્વારા રાહતની માંગ કરી હતી. તેમને રાહત મળી, પરંતુ આ સમયગાળા દરમિયાન તેમની બાકી રકમ વધીને લગભગ 9 કરોડ રૂપિયા થઈ ગઈ.

