આનંદ સમાચાર: ગોકુલધામ નારણી ઘનશ્યામ પ્રિ સ્કૂલ ખાતે શુક્રવારે ભવ્ય દિક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગોકુલધામ નાર દ્વારા કરવામાં આવેલ આ અનોખા પ્રયોગમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
સિનિયર કેજીના વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના શુકદેવપ્રસાદદાસજી સ્વામી અને મનુભાઈ રાઠોડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા. સમારંભના અંતે શાળાના આચાર્ય ભાવસાર સાહેબે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.