Author: gujarat

Gujarat ED Action News: ગુજરાતના પ્રવર્તન નિદેશાલય (ED) એ સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ કલેક્ટર ડૉ. રાજેન્દ્ર કુમાર પટેલ પર શિકંજો કસ્યા બાદ હવે ગુજરાત જમીન વિકાસ નિગમ, આણંદના તત્કાલીન ફીલ્ડ સુપરવાઈઝર ધીરુભાઈ બાબુભાઈ શર્મા પર કાર્યવાહી કરી છે. ED એ તપાસ બાદ PMLA, 2002 હેઠળ 4.92 કરોડ રૂપિયાની સંપત્તિને કામચલાઉ રીતે જપ્ત કરી લીધી છે. ED ની ગાંધીનગર સ્થિત પ્રાદેશિક કચેરીએ આ કાર્યવાહી અંગે વિગતો શેર કરી છે. ED એ જણાવ્યું છે કે તેણે તત્કાલીન ફીલ્ડ સુપરવાઈઝર ધીરુભાઈ બાબુભાઈ શર્માની 4.92 કરોડ રૂપિયાની સંપત્તિઓને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 ની જોગવાઈઓ હેઠળ કામચલાઉ રીતે જપ્ત કરી છે. જપ્ત કરાયેલી…

Read More

ગાંધીનગર, ગાંધીનગરના સરગાસણમાં રહેતા વૃદ્ધને મની લોન્ડરિંગ કેસમાં નામ હોવાની ધમકી આપી સાયબર ગઠિયાએ ડિજિટલ એરેસ્ટ કર્યા હતા અને તેમના બેંક ખાતામાંથી રૂ.૩પ.રપ લાખની રકમ ઓનલાઈન પડાવી ગયા હોવાનો બનાવ સાયબર પોલીસ મથકમાં નોંધાયો છે.સરગાસણમાં રહેતા હરિ કિશોર ઠાકુર ઉ.૬૭, મુળ રહે બિહાર એ સાયબર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે તેમાં જણાવાયા મુજબ હકીકત એવી છે કે તેઓ ચાર બેંકોમાં ખાતા ધરાવે છે. તા.૧૦.૧૧.ર૦રપના રોજ તેમના મોબાઈલ ફોન આવ્યો હતો સામેથી કહ્યું હતું કે તમારી સામે આધારકાર્ડનો ખોટો ઉપયોગ, વાયોલન્સ સેન્ટીંગ, ચાઈલ્ડ પોનોગ્રાફી અને હેરેસમેન્ટ જેવા ઘણાં બધા કેસ છે.તેમ કહી તેણે મહારાષ્ટ્ર સાયબર ક્રાઈમ બ્રાંચના સબ ઈન્સ્પેકટર શંકર સુરેશ…

Read More

નરોડા વિસ્તારના રહેવાસી બંને અમદાવાદ પાસીંગની ઈકો ગાડીમાં જઈ રહ્યા હતા -એલસીબીએ રૂ.ર.૬ર લાખનો મુદ્દામાલ કબજે લીધો(તસ્વીરઃ મગનજીત વણઝારા, હિંમતનગર) હિંમતનગર એ.ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ખેડ તસીયા રોડથી નવા જતાં રોડ પર આવેલ જૂની નગરપાલિકા કચેરી આગળથી બુધવારે એલસીબીએ બાતમીને આધારે એક શંકાસ્પદ ઈકોને ઝડપી લઈતેમાં તલાશી કરતાં અંદાજે રૂ. ૬ર હજારની કિંમતની વિદેશી દારૂની ર૩પ બોટલ મળી આવતાં એલસીબીએ આ બંનેની અટકાયત કરી પાસ પરમીટ વિનાના દારૂના જથ્થા અને કાર મળી અંદાજે રૂ. ર.૬ર લાખનો મુદ્દામાલ કબજે લઈ બંને વિરૂધ્ધ એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાવાયો હતો.આ અંગે એલસીબીના પી.આઈ ડી.સી.સાકરીયા તથા સ્ટાફના જણાવાયા મુજબ બુધવારે સવારે તેમનો સ્ટાફ…

Read More

સેશન્સ કોર્ટે અરજી ફગાવતા -પોકસો કેસમાં ખોટી રીતે સંડોવી દેવાની ધમકી આપી લાંચ માંગી હતીપાટણ, પાટણ જિલ્લા પોલીસના નિવૃત્ત એએસઆઈ ઈશ્વર નાગજીભાઈ દેસાઈ (ઉ.વ.૬૧)ની નિયમિત જામની અરજી પાટણની સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. જજ પ્રશાંત એચ.શેઠે આ નિર્ણય સંભાળાવતા તેમનો જેલવાસ લંબાયો છે. તેઓ છેલ્લા છ વર્ષથી એસીબી કેસનો સામનો કરી રહ્યા છે. ઈશ્વભરભાઈ સામે પાટણ એસીબી પોલીસ સ્ટેશનમાં ર૦રપમાં ભ્રષ્ટાચાર નિવારણ હેઠળ ગુનો નોંધાયો હતો. તેમની આગોતરા જામીન અરજી હાઈકોર્ટે નામંજૂર કરી હતી.સુપ્રીમ કોર્ટમાંથી અરજી પાછી ખેંચી લીધા બાદ તેઓ ર૭ ઓકટોબર ર૦રપના રોજ તપાસ અધીકારી સમક્ષ હાજર થતાં તેમની અટકાયત કરવામાં આવી હતી. આ કેસમાં ચાર્જશીટ દાખલ થઈ…

Read More

ભરૂચ નગરપાલિકાની કડક કાર્યવાહી-દૂષિત અને દુર્ગંધ મારતા પાણીનો નિકાલ કરનાર જલારામ ફાસ્ટફૂડને દંડ ફટકારાયો(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના શક્તિનાથ ખાતે આવેલ ફૂડ ઝોનના ખાણી પીણી અને રેસ્ટોરન્ટ દ્વારા દૂષિત અને દુર્ગંધ મારતા પાણીનો જાહેરમાર્ગ પર નિકાલ કરતા પાલિકાએ કડક પગલા ભરી દંડનીય કાર્યવાહી કરતા ગંદકી ફેલાવતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે.ભરૂચ શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા પાલિકા દ્વારા વિવિધ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે અને દિવસ રાત સફાઈ હાથ ધરવા સાથે લારી ગલ્લાઓ પર ચેકીંગ હાથધરી દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.ત્યારે પાલિકાને ગતરોજ ફરિયાદ મળી હતી કે વોર્ડ નંબર ૩ ના શક્તિનાથ વિસ્તારમાં આવેલ ફૂડ ઝોનમાં ધમધમતી લારીઓ અને…

Read More

(પ્રતિનિધિ) આણંદ, મંગળવારના રોજ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા આકસ્મિક આણંદ બસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ સાથે બસમાં જઈને નાયબ મુખ્યમંત્રી શ્રી દ્વારા સંવાદ કરવામાં આવ્યો હતો.જેમાં વિદ્યાર્થીઓ દ્વારા તેમને પડતી તકલીફોની રજૂઆત કરતા જણાવ્યું હતું કે બોરસદ અને ડાકોર ની વધારા ની ટ્રીપ શરુ કરવામાં આવે તો વિદ્યાર્થીઓને સુગમતા રહે અને અમારી માંગણી નું નિરાકરણ થાય. આ વાત સાંભળીને નાયબ મુખ્યમંત્રી શ્રી એ આણંદ બસ સ્ટેશન ઉપરથી જ ઉચ્ચ અધિકારી સાથે ફોન ઉપર વાત કરીને તાત્કાલિક અસરથી બોરસદ અને ડાકોર ની બસ સેવા શરૂ કરવા સૂચના આપી હતી.જે અન્વયે આજે તા.૦૭/૦૧/૨૦૨૬, બુધવારના રોજ…

Read More

ગોધરાના ભેખડીયા વિસ્તારમાં વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન વિવિધ ગુનાઓમાં પકડાયેલા આ દારૂના જથ્થાનો નિકાલ(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરાના ભેખડીયા વિસ્તારમાં આવેલી સરકારી પડતર જમીનમાં શહેરા અને મોરવા હડફ પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત કરાયેલા રૂ. ૨.૮૭ કરોડના વિદેશી દારૂના જથ્થાનો જાહેરમાં નાશ કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન વિવિધ ગુનાઓમાં પકડાયેલા આ દારૂના જથ્થાનો નિકાલ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને વહીવટી તંત્રની હાજરીમાં કરવામાં આવ્યો.આ કાર્યવાહીમાં કુલ ૧,૬૦,૮૪૧ દારૂ અને બીયરની બોટલોનો નાશ કરાયો હતો. કાચની અને પ્લાસ્ટિકની બોટલોને મેદાનમાં પાથરી જેસીબી અને રોલર જેવી ભારે મશીનરી ફેરવીને સંપૂર્ણપણે નષ્ટ કરવામાં આવી હતી. પંચમહાલ રેન્જના આઈ.જી. આર.વી. અસારી અને જિલ્લા પોલીસ વડા ડૉ.…

Read More

(પ્રતિનિધિ) ગોધરા, કાલોલ પોલીસે ચોક્કસ બાતમીના આધારે ગોમા નદીના કિનારે ક્રિકેટનો સટ્ટો રમતા એક ઇસમને ઝડપી પાડ્‌યો છે. આ કાર્યવાહી આશિયાના સોસાયટી પાછળ આવેલી ઝાડી-ઝાખરાવાળી ખુલ્લી જગ્યામાં કરવામાં આવી હતી.પોલીસે સ્થળ પરથી ત્રણ મોબાઈલ ફોન, રોકડ રકમ તથા સટ્ટાની નોંધપોથી જપ્ત કરી છે. ઝડપાયેલા આરોપીનું નામ મુસ્તુફાખાન પઠાણ હોવાનું બહાર આવ્યું છે. તે તાજેતરમાં ચાલી રહેલી બિગ બેશ લીગ ૨૦૨૫/૨૬ અંતર્ગત સિડની સિક્સર્સ અને બ્રિસબેન હીટ વચ્ચેની ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો હતો. આરોપી ટીમની હાર-જીત ઉપરાંત વ્યક્તિગત ખેલાડીઓના પ્રદર્શન પર પણ સેશન લગાવતો હતો.પોલીસ તપાસમાં ખુલ્યું છે કે મુસ્તુફાખાન મોબાઈલ ફોનના માધ્યમથી સટ્ટા વ્યવહાર ચલાવતો હતો. એક મોબાઈલમાં તે…

Read More

ડાકોર મંદિરમાં વૈષ્ણવો પાસેથી નાણાં લેવા બાબતે ઠપકો આપનાર સેવક પર સેવક પરિવારનો હુમલો(પ્રતિનિધિ) નડિયાદ, ડાકોર રણછોડરાયજી મંદિરમાં દર્શન માટે આવેલ વૈષ્ણવો પાસે નાણાં લેવા બાબતે ઠપકો આપનાર એક સેવકને અન્ય સેવક તેની પત્ની અને પુત્રે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ ડાકોર પોલીસ મથકે નોંધાતા નગરમાં ભારે ચકચાર મચી ગઈ છેમળતી માહિતી મુજબ ડાકોર નગરમાં સંતરામ પાર્કમાં રહેતા અને રણછોડરાયજી મંદિરમાં તુલસી ચઢાવવાની સેવા કરતા ૫૬ વર્ષીય નરેશકુમાર રતીલાલ સેવક ગત તારીખ ૬ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ સવારના સમયે પોતાની ફરજ પર હતા.તેઓ સવારે અગીયાર વાગ્યાની આસપાસ રણછોડરાયજી મંદિરમાં ફડાતર પાસે ઉભા હતા, ત્યારે નરેશકુમાર સેવકે…

Read More

દાગીના બનાવવા ભાગીદારનું સોનું લઈ ફરાર થઈ ગયાસુરત, અશ્વિનીકુમાર રોડ પર આવેલી અમર સ્વર્ણ મંદિર જ્વેલર્સમાંથી ઘરેણાં બનાવવા માટે આપેલું રૂ.પ.૦૩ કરોડની કિમતનું સોનું લઈને પેઢી બંધ કરીને નાસી જનારા હીરા ગોલ્ડ પેઢીના ભાગીદાર પાનસુરિયા બંધુઓ સામે અશ્વિનીકુમાર પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.વરાછામાં અમર જ્વેલર્સ નામની દુકાન ધરાવતા અલ્પેશ અને નિતેશનો સરથાણામાં રહેતા નીતિન ચિમનભાઈ પાનસુરિયા અને તેના ભાઈ મનિષ સાથે થયો હતો. આ બન્ને ભાઈઓ વરાછા મીનીબજારમાં આવેલા સરદાર આવાસમાં હીરા ગોલ્ડના નામે સોનાના ઘરેણાં બનાવવાનું કામ કરે છે.પોતાના દિકરા સાથે ધંધો કરતા હોવાથી મગનભાઈને તેના પર વિશ્વાસ બેસી જતાં તેમણે આ બંધુઓએ સોનાના ઘરેણાં સમયસર બનાવી આપી…

Read More