અમદાવાદમાં સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના આદેશાનુસાર ઓઢવ પોલીસ દ્વારા આરોપીઓને હાજર થવા આદેશ કરતુ જાહેરનામુંઅમદાવાદ, ક્રીમીનલ પ્રોસીજર કોડ (CRPC1973)ની કલમ- ૮૨ હેઠળ આરોપી આફતાબ ઉર્ફે અલ્તાફ ઉર્ફે કાલુ સ/ઓ આમીરાઅલી સાગીરલી ઉમર વર્ષ ૧૮ છે, ચંડોળા તળાવના છાપરા બી.ગલી શાહઆલમ ઈસનપુરમાં રહે છે. અમદાવાદ શહેર દ્રારા ઓઢવ પોલીસ સ્ટેશન ફ.ગુ.૨નં.૧૮૬/૨૦૧૯ ધી ઈ.પી.કો.કલમ ૩૭૯(એ)(૩)અનુસાર સજાપાત્ર ગુનો કરેલ છે, (અથવા એવો ગુનો કરેલ હોય તેવો શક છે) અને તેના ઉપર કાઢવામા આવેલ ગિરફતારીનું વોરંટ એવા શેરા સહિત પાછુ આવેલ છે કે ઉપર જણાવેલ આરોપી મળી આવતો નથી અને નામદાર કોર્ટે ખાતરી કરાવતા આરોપી આકૃતાબ ઉર્ફે અલ્તાફ ઉર્ફે કાલુ સ/ઓ આમીરાઅલી સાગીરલી…
Author: gujarat
પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે ગાંધીનગરમાં સેક્ટર-17પોસ્ટ ઓફિસમાં આધાર સેવા કેન્દ્રનું કર્યું શુભારંભ,સવારે08:00વાગ્યાથી સાંજે06:00વાગ્યા સુધી મળશે સેવાભારતીય ડાક વિભાગ દ્વારા શાળાઓમાં બાળકોના ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ માટે ખાસ ઝુંબેશ – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવગાંધીનગર, નાગરિકોને તેમના નજીકના વિસ્તારમાં આધાર સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી સમગ્ર દેશમાં પોસ્ટ ઓફિસમાં આધાર સેવા કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. આ પોસ્ટ ઓફિસ આધાર કેન્દ્રો દ્વારા નાગરિકોને નવા આધાર નોંધણી તેમજ કોઈપણ પ્રકારના સુધારા અથવા વિસંગતતાની સ્થિતિમાં આધાર અપડેટ કરાવવામાં વિશેષ સુવિધા મળી રહી છે. આ ક્રમમાં,આધાર સેવાઓની સતત વધતી માંગ અને નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને,ગાંધીનગરમાં સેક્ટર-17પોસ્ટ ઓફિસમાં આધાર સેવા કેન્દ્રનું શુભારંભ7જાન્યુઆરી, 2026ના રોજ ઉત્તર ગુજરાત…
રાજ્યપાલ સાથે રાજ્યના ઈન્ચાર્જ ડીજીપી શ્રી ડૉ. કે. એલ. એન. રાવની શુભેચ્છા મુલાકાતગાંધીનગર સ્થિત ગુજરાત લોકભવન ખાતે રાજ્યના ઈન્ચાર્જ ડીજીપી શ્રી ડૉ. કે. એલ. એન રાવે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરી. રાજ્યપાલશ્રીએ ડૉ. કે,એલ. એન. રાવનું પુષ્પગુચ્છ વડે સ્વાગત કરી ઈન્ચાર્જ ડીજીપીની જવાબદારી મળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.આ પ્રસંગે ડૉ. રાવે પોલીસ વિભાગમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે કરવામાં આવી રહેલી પ્રગતિ અંગે વિગતો પુરી પાડી હતી. તેમણે જણાવ્યું કે,વર્તમાન સમયમાં સાયબર ક્રાઈમની ઘટનાઓમાં ભોગ બનનારને ઝડપથી ન્યાય મળી રહે તે દિશામાં પોલીસ વિભાગ ખૂબ જ ગંભીરતાથી કામ કરી રહ્યું છે. તેમજ લોકો સાયબર…
શંકાસ્પદ ટાઈફોડના ૧૧૩ કેસો અત્યાર સુધીમાં મળી આવ્યા છે અને સારવાર ગ્રસ્ત દર્દીઓમાંથી ૧૯ ને ડિસ્ચાર્જ કરી દેવાયા છે.ગાંધીનગરમાં પાણીજન્ય ટાઇફોઇડની સ્થિતિ અંગે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના તંત્રને યુદ્ધના ધોરણે કામગીરી કરવાના આદેશગાંધીનગર, શહેરના સેકટર ૨૪, ૨૮ અને આદિવાડા વિસ્તારમાં પાણીની પાઇપલાઇન લીકેજના થવાના કારણે દૂષિત પાણીથી બાળકો અને નાગરિકોમાં ટાઇફોઇડના કેસ સામે આવ્યા છે જે અંગે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, જિલ્લા કલેકટરશ્રી તેમજ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી સાથે સતત સંપર્કમાં રહી, ચર્ચા કરી વર્તમાન પરિસ્થિતિ અંગે સંપૂર્ણ વિગતો મેળવી પ્રવર્તમાન પરિસ્થિતિ…
(એજન્સી)સુરેન્દ્રનગર, કરોડો રૂપિયાના જમીન કૌભાંડમાં રોજ નવા ફણગા ફૂટી રહ્યા છે. ઈડી દ્વારા કરવામાં આવેલી તપાસ અને પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા બાદ હવે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.આ મામલે પહેલા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી અને કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલની ધરપકડ કરાઈ હતી, ત્યારે હાલ કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા અને ક્લાર્ક મયુરસિંહ ગોહિલની પણ હાલ તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી હોવાની માહિતી સામે આવી છે.આ મામલે ઈડીની તપાસમાં સૌથી ગંભીર બાબત એ સામે આવી છે કે કલેક્ટર કચેરીમાં જમીનની ફાઈલો મંજૂર કરાવવા માટે લાંચનું ચોક્કસ માળખું ગોઠવાયેલું હતું. જે મામલે તપાસ દરમિયાન કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલના પીએ…
શીલજ આરોગ્ય વનના બીલની મુળ ફાઈલ ગાયબ(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ બગીચા વિભાગમાં કૌભાંડોની હારમાળા ચાલી રહી છે. મિંયાવાકી પધ્ધતિના ટેન્ડરમાં રૂ.૬૯ કરોડની મંજુરી સામે રૂ.૧૩પ કરોડના કામ કરવામાં આવ્યા છે તેનો વિવાદ હજી શમ્યો નથી ત્યારે જ લેબર અને ટ્રેકટર ટ્રોલીનો વિવાદ શરૂ થયો છે.જયારે કોર્પોરેશનના ઈતિહાસમાં પ્રથમ વખત પ્રેઝન્ટેશનના આધારે ટેન્ડર મંજુર કરવામાં આવ્યા હોવાની ચોંકાવનારી ઘટના પણ બહાર આવી છે. આ ઉપરાંત એક બીલ ફાઈલ ગાયબ થઈ જતા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે.મ્યુનિ. બગીચા વિભાગ દ્વારા શહેરના તમામ બગીચાઓમાં બાળકો માટે રમકડાં મુકવા માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતાં. જેમાં અત્યંત ચોંકાવનારી કહી શકાય તેવી શરત રાખવામાં…
વર્ષ 2025 દરમિયાન અમદાવાદ મંડળમાં કુલ 2047 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાયી છે અને 1855 મામલાના કેસ નોંધવામાં આવ્યા.રેલવે અધિનિયમ 1989ની કલમ 141 હેઠળ 1813 વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી.પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું રેલવે સુરક્ષા બળ (RPF) મુસાફરોની સુરક્ષા, રેલવે સંપત્તિની રક્ષા અને સ્ટેશનો પર સુરક્ષિત વાતાવરણ જાળવવા માટે સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણ સાથે કાર્ય કરી રહ્યું છે. સાથે જ વર્ષ 2025 દરમિયાન એલાર્મ ચેન પુલિંગ (ACP)ની ઘટનાઓ પર કડક નજર રાખીને પ્રશંસનીય કાર્ય કર્યું છે.મુસાફરોની સુરક્ષા, ટ્રેનોની સમયપાલનતા તથા નિર્વિઘ્ન રેલવે સંચાલન સુનિશ્ચિત કરવા માટે RPF દ્વારા સતત સતર્કતા, ત્વરિત કાર્યવાહી અને અસરકારક સમન્વયના પરિણામે એલાર્મ ચેન પુલિંગ (ACP)ના…
માનવ તસ્કરી અને સંતાન ગુમાવવાના આઘાતે માનસિક સંતુલન ગુમાવી બેઠેલી લાચાર મહિલા માટે નારી સંરક્ષણ ગૃહ જીવનમાં ફરી નવી આશાનું કિરણ બન્યુંનારી સંરક્ષણ ગૃહનું લક્ષ્ય માત્ર આશ્રય પૂરું પાડવાનું નથી, પરંતુ સંઘર્ષમાં ફસાયેલા જીવનને ફરી પાટા પર લાવવાનું છેકહેવાય છે કે, “રામ રાખે તેને કોણ ચાખે”. માનવ તસ્કરી, છેતરપિંડી અને સંતાન ગુમાવવાના આઘાતે માનસિક સંતુલન ગુમાવી બેઠેલી એક લાચાર મહિલા માટે અમદાવાદનું ઓઢવ સ્થિત નારી સંરક્ષણ ગૃહ જીવનમાં ફરી નવી આશાનું કિરણ બની ઊભર્યું છે.છેલ્લા આઠ વર્ષથી પરિવારથી વિખૂટી પડેલી પશ્ચિમ બંગાળની ૨૯ વર્ષીય યુવતીનું મહિલા અને બાળ વિકાસ વિભાગ સંચાલિત નારી સંરક્ષણ ગૃહના સઘન પ્રયત્નો, સારવાર અને સતત કાઉન્સેલિંગના…
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પોશ શ્યામલ ચાર રસ્તા પાસે આગની એક દુર્ઘટના સર્જાઈ છે. અહીં આવેલા શિલ્પ સિદ્ધિ ફ્લેટના બેઝમેન્ટમાં ઓચિંતી આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગમાં પાર્ક કરેલા અનેક વાહનો લપેટમાં આવી ગયા હતા.પ્રાપ્ત વિગતો અનુસાર, ફ્લેટના બેઝમેન્ટમાં લાગેલી આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે ત્યાં પાર્ક કરેલા ૫ થી ૭ જેટલા વાહનો જોતજોતામાં બળીને ખાખ થઈ ગયા હતા. આગને પગલે આસપાસના વિસ્તારમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેના કારણે ફ્લેટમાં રહેતા રહીશોમાં ભારે ફાળ પડી હતી અને લોકો જીવ બચાવવા બહાર દોડી આવ્યા હતા.આગની જાણ થતા જ અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે…
પતંગ લૂંટવાની ઘેલછામાં કિશોરને વીજ કરંટ લાગતા મોત(એજન્સી)ખંભાત, ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ઉંદેલ ગામે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના બની છે. પતંગ લૂંટવાની લ્હાયમાં એક માસૂમ કિશોરે જીવ ગુમાવતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પતંગ લૂંટવા દોડતા કિશોરને વીજળીનો જોરદાર ઝટકો લાગતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.મળતી વિગતો અનુસાર, ઉંદેલ ગામની કોઠીયા સીમ વિસ્તારમાં આ અકસ્માત સર્જાયો હતો. આકાશમાં કપાતી પતંગોને લૂંટવા માટે માસૂમ કિશોર ઉત્સાહમાં દોડી રહ્યો હતો. પતંગ લૂંટવાની મોજમાં તે એટલો મશગૂલ હતો કે રસ્તામાં આવતા જોખમોનો તેને અંદાજ રહ્યો નહોતો.પતંગનો પીછો કરતા કરતા…
