(પ્રતિનિધિ) મોડાસા, અરવલ્લી જિલ્લામાં પત્રકારો વચ્ચે એકતા, સહકાર અને મિત્રતાને વધુ મજબૂત બનાવવા માટે મોડાસાના જીનીયસ ક્રિકેટ ગ્રાઉન્ડ પર અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પત્રકારોએ ચાર ટીમોમાં વહેંચાઈ રમતમાં ઉત્સાહભેર ભાગ લઈને રમત સાથે આનંદની ક્ષણો માણી હતી.૨૪ માર્ચે યોજાયેલી આ ટુર્નામેન્ટમાં મારુતિનંદન-૧૧, કેસરીનંદન-૧૧, વીરનંદન-૧૧ અને રઘુનંદન-૧૧ ટીમોએ ભાગ લીધો હતો. પ્રથમ મુકાબલો મારુતિનંદન-૧૧ (કેપ્ટન વૈભવ રાઠોડ) અને રઘુનંદન-૧૧ (કેપ્ટન હાર્દિક પટેલ) વચ્ચે રમાયો હતો, જ્યારે બીજી મેચ કેસરીનંદન-૧૧ (કેપ્ટન નરેશ ભરવાડ) અને વીરનંદન-૧૧ (કેપ્ટન કનુભાઈ પટેલ) વચ્ચે યોજાઈ હતી.ફાઈનલ મુકાબલો મારુતિનંદન-૧૧ અને વીરનંદન-૧૧ વચ્ચે રમાયો હતો. જેમાં મારુતિનંદન-૧૧એ પ્રથમ બેટિંગ કરતા ૧૨ ઓવરમાં ૧૨૭…
Author: gujarat
સમાજમાં રહેલા કેટલાક રૂઢિવાદી કુરિવાજોને નાબૂદ કરી, દીકરી અને દિકરાને એક જ સમાન ગણી બન્ને સારું શિક્ષણ આપીએમોરબીમાં મળેલી બેઠકમાં હાઈટેગ યુગમાં કદમ મિલાવવા સંકલ્પમોરબી, મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા, મચ્છુ માતાનું લોકમાતા તરીકે પૂજન કરતા માલધારી એટલે રબારી ભરવાડ સમાજે આજના હાઈટેક યુગમાં કદમ સાથે કદમ મિલાવી શિક્ષણ, ટેકનોલોજી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવી છે પણ હજુ સમાજ સામે એકતા તેમજ યુવાનોમાં શિક્ષણ સાથે સંસ્કૃતિ, સંસ્કારનું સિંચન કરવા કેટલાક પડકારો હોવાથી મોરબીમાં મચ્છુ માતાજીના સાનિધ્યમાં રબારી અને ભરવાડ સમાજની મહત્ત્વની એકતા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં હજુ પણ સમાજમાં રહેલા કેટલાક રૂઢિવાદી કુરિવાજોને નાબૂદ કરી,…
ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી તા.ર૯ એપ્રિલના રોજ સાંજના ૬ઃ૩૦ વાગ્યા સુધી ‘એક્ઝિટ પોલ’ પર પ્રતિબંધગાંધીનગર, ઉમરેઠ વિધાનસભા બેઠકની વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણી પંચ દ્વારા મીડિયામાં એÂક્ઝટ પોલ અને ઓપિનિયન પ્રકાશિત કે પ્રસિદ્ધ કરવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.જે મુજબ ગુજરાતમાં તા.ર૯ એપ્રિલ ર૦ર૬ના રોજ એÂક્ઝટ પોલ પર પ્રતિબંધ તેમજ ૧૧૧ ઉમરેઠ વિધાનસભા બેઠકની વિધાનસભા મતક્ષેત્રમાં મતદાનનો સમય પૂરો થતો હોય તે સમય પૂર્વેના ૪૮ કલાક દરમિયાન ઓપિનિયન પોલ પર પણ પ્રતિબંધ રહેશે.આ જાહેરનામા અનુસાર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, સ ૧૯પ૧ની કલમ ૧ર૬(ક)ની પેટાકલમ (૧)થી મળેલી સત્તાનો ઉપયોગ કરી પેટાકલમ (ર)ની જોગવાઈઓ અનુસાર ગુજરાતમાં ૧૧૧ ઉમરેઠ વિધાનસભા બેઠકની વિધાનસભા…
સુરત, ડાયમંડની સાથે ટેકસટાઈલ નગરી તરીકે ઓળખ ધરાવતા સુરતમાં પણ ઈરાન યુદ્ધની અસર જોવા મળી રહી છે. સુરતની ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીમાં ઉત્તરપ્રદેશ, બિહાર, ઓડિસાના શ્રમિકોની મોટી સંખ્યામાં કામ કરે છે. ઈરાન યુદ્ધના કારણે ગેસનો પુરવઠો ખોરવાતા અનેક લોકો વતન પરત ફરી રહ્યા છે.પરપ્રાંતિયો મોટાભાગે નાના ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતા હોય છે પરંતુ હાલ આવા ગેસ સીલિન્ડર મળી રહ્યા નથી. ઉપરાંત હોટલોબંધ થવાથી તેમને ઝટકો લાગ્યો છે. સામાન્ય રીતે સુરતના કપડા ઉદ્યોગમાં રવિવારે અડધા દિવસની રજા હોય છે પરંતુ ડાઈંગમાં ઉપયોગમાં લેવાતા ગેસના અપૂરતા પુરવઠાના કારણે શનિ-રવી બે દિવસની રજા કરી દેવામાં આવી છે.ગેસની અછતના કારણે ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીઝ પર અસર થઈ છે…
લક્ષ્મીપુરા ખાતે રામનવમી નિમિત્તે ભવ્ય સત્સંગ મેળાવડો યોજાયો(પ્રતિનિધિ) મોડાસા, તારીખ ૨૬/૦૩/૨૦૨૬, ગુરુવારના રોજ પાવન ભૂમિ લક્ષ્મીપુરા (ખેડબ્રહ્મા) ખાતે શ્રીમદ્ રામજીબાપાની જન્મભૂમિમાં રામનવમીના પાવન પર્વ નિમિત્તે એક ભવ્ય સત્સંગ મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પરમ પૂજ્ય રામજીબાપા (ધોલવાણી) સહિત અનેક સંતોએ ઉપસ્થિત રહી ભક્તોને શ્રીમદ્ રામજીબાપાના જીવન ચરિત્ર અને તેમના અમૃત સમાન બોધ વચનોથી મંત્રમુગ્ધ કર્યા હતા.આ પ્રસંગે પરમ પૂજ્ય શ્રી રામજીબાપા (ધોલવાણી) એ પ્રેરક ઉદબોધન આપતા જણાવ્યું હતું કે, શ્રીમદ્ રામજીબાપાએ આ ધરતી પર અવતાર લઈ માત્ર વાતો નથી કરી, પણ આત્મ-પરમાત્મામય જીવન જીવીને બતાવ્યું છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, ભક્તિ એ તો અંતરમુખ થવાનો અને અહંકાર ઓગાળી દેવાનો…
કહેવાય છે કે માર્ગમાં પડેલા વાનર રૂપે આવેલા હનુમાનજીની પૂંછડી પાંડુપુત્ર ભીમસેન હલાવી શક્યા નહીં અને અંતે હનુમાનજીએ પોતાનું વિરાટ સ્વરૂપ દર્શાવી તેમને નમ્રતા શીખવી.પ્રતિનિધિ.મોડાસા, અરવલ્લી પર્વતમાળાની ઓથમાં આવેલું સાકરીયા ગામ ભક્તિ અને આસ્થાનું મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે. મોડાસા નજીક આવેલું સાકરીયા હનુમાનજી મંદિર “ભીડભંજન હનુમાન દાદા” તરીકે જાણીતું છે, જ્યાં દાદાની શયન (સુતેલી) અવસ્થાની પ્રતિમા ભક્તોને વિશેષ આકર્ષે છે.સમગ્ર દેશમાં અત્યંત દુર્લભ એવી આ પ્રતિમા ધાર્મિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ ધરાવે છે, જેના કારણે અહીં રોજબરોજ ભક્તોની અવરજવર વધતી જાય છે. પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે વસેલું આ ધામ માત્ર દર્શન માટે નહીં, પરંતુ મનને શાંતિ અને આત્મિક શક્તિ આપવા માટે…
શહેરના ઘુમા સહિત ૩ વિસ્તારમાં ઉત્તમ આરોગ્ય સેવા પૂરી પાડવા નવા સીએચસી બનશે -બે વોર્ડ દીઠ એક સીએચસીની જરૂરિયાત(એજન્સી)અમદાવાદ, શહેરીજનોનો ઘરઆંગણે ઉત્તમ આરોગ્ય સેવાઓ પુરી પાડવા માટે મ્યુનિ.હેલ્થ ખાતા દ્વારા ૪૮ વોર્ડમાં ૯૦ અર્બન હેલ્થ સેન્ટર બનાવાયા છે. પરંતુ મીની હોસ્પિટલની ગરજ સારતા કોમ્યુનીટી હેલ્થ સેન્ટર ફકત ૧૩ જ હોવાથી બે વોર્ડ વચ્ચે એક સીએચસી બનાવવાના આયોજનમાં ભાગરૂપે ઘુમા, માધુપુરા અને સૈજપુરમાં નવા સીએચસી બનાવવામાં આવનાર છે.મ્યુનિ.હેલ્થ ઓફીસર ડો.ભાવીન સોલંકીએ જણાવ્યું હતુંકે, તમામ વોર્ડમાં એક એક હેલ્થ સેન્ટર લેખે ૪૮ યુએચસી હોય પરંતુ કેટલાક વોર્ડ મોટા હોવાથી ત્યાં બે હેલ્થ સેન્ટર બનાવવામાં આવ્યા છે. જોકે હેલ્થ સેન્ટરમાં ઝાડાઉલટી તાવ જેવા…
૧૬૬ કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલ સુરતની ડુમસ સી ફેસ બનશે કચરા મુક્ત-વીક એન્ડમાં વિવિધ એન.જી.ઓ. સફાઈ અભિયાન કરશે(એજન્સી) સુરત, સુરત પાલિકાના ડ્રીમ પ્રોજેક્ટ બનેલો ડુમસ સી-ફેસ શરૂ થતાં જ સ્વચ્છતા મુદ્દે વિવાદોમાં આવી ગયો છે. ખાસ કરીને વીકએન્ડ દરમિયાન મોટી સંખ્યામાં લોકો અહીં ફરવા પહોંચે છે, પરંતુ ત્યારબાદ વિસ્તાર કચરાના ઢગલામાં ફેરવાઈ જતો હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. સ્વચ્છતામાં દેશમાં આગવી ઓળખ ધરાવતી સુરત પાલિકા માટે આ સ્થિતિ હવે પડકારરૂપ બની ગઈ છે.૧૬૬ કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલ આ પ્રોજેક્ટમાં પ્રથમ જ વીકએન્ડ બાદ પાલિકાએ અંદાજે ૩૦૦ કિલો કચરો ઉઠાવ્યો હતો. સતત વધતી ગંદકીના કારણે પ્રોજેક્ટની જાળવણી મુશ્કેલ બની રહી…
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ૭૭૨ પીઆઈની બદલી(એજન્સી)ગાંધીનગર, ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે, તે પહેલા જ વહીવટી તંત્રમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. રાજ્યના ત્રણ આઈએએસ અધિકારીઓની બદલી થઈ હતી.જે બાદ ગુજરાતમાં પોલીસ વિભાગમાં મોટા પાયે બદલીના આદેશ અપાયા હોવાની માહિતી હાલ સામે આવી રહી છે. ગુજરાતમાં હાલ એક સાથે ૭૭૨ પીઆઈની બદલીના આદેશ અપાયા છે, ત્યારે આ માહિતી સામે આવતા જ ચૂંટણીને લગતી ચર્ચાઓ શરૂ થઈ છે.મળતી માહિતી મુજબ, આજે ૨૬મી જાન્યુઆરીએ ગુજરાત પોલીસ વિભાગની ડીજી એન્ડ આઈજી ઓફિસ ગાંધીનગર ખાતેથી પોલીસ વિભાગમાં મોટા પાયે પોલીસકર્મીઓની બદલીનો પરિપત્ર જાહેર કરાયો છે.કુલ ૭૭૨ જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરને…
(એજન્સી)અમદાવાદ, આગામી ચોમાસાને લઈને ખેડૂતો અને સામાન્ય જનતામાં ભારે ઉત્સુકતા હોય છે, ત્યારે હવામાન નિષ્ણાત અથ્રેયા શેટ્ટી દ્વારા વૈજ્ઞાનિક ઢબે ચોમાસાનું પ્રથમ પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. આ વરતારો દેશ અને ખાસ કરીને ગુજરાત માટે મિશ્ર સંકેતો આપી રહ્યો છે.ખેડૂતો માટે આવતું ચોમાસું ચિંતા વધારી શકે છે. કેમ કે, જૂન સુધીમાં અલનીનો અને પોઝિટિવ આઈઓડીની સંભાવના છે. અલનીનો-આઈઓડી એકબીજા પર હાવી થવા પ્રયાસ કરશે. બંને વચ્ચેની ખેંચતાણના કારણે વરસાદ અનિયમિત રહી શકે છે.વૈજ્ઞાનિક તારણો મુજબ, આ વર્ષે દેશમાં સામાન્યના ૯૦ થી ૯૬ ટકા જેટલો વરસાદ પડવાની સંભાવના છે. ગુજરાતની વાત કરીએ તો, અહીં વરસાદ સામાન્ય કરતાં થોડો ઓછો રહી શકે…
