(એજન્સી)અમદાવાદ, આગામી ચોમાસાને લઈને ખેડૂતો અને સામાન્ય જનતામાં ભારે ઉત્સુકતા હોય છે, ત્યારે હવામાન નિષ્ણાત અથ્રેયા શેટ્ટી દ્વારા વૈજ્ઞાનિક ઢબે ચોમાસાનું પ્રથમ પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. આ વરતારો દેશ અને ખાસ કરીને ગુજરાત માટે મિશ્ર સંકેતો આપી રહ્યો છે.
ખેડૂતો માટે આવતું ચોમાસું ચિંતા વધારી શકે છે. કેમ કે, જૂન સુધીમાં અલનીનો અને પોઝિટિવ આઈઓડીની સંભાવના છે. અલનીનો-આઈઓડી એકબીજા પર હાવી થવા પ્રયાસ કરશે. બંને વચ્ચેની ખેંચતાણના કારણે વરસાદ અનિયમિત રહી શકે છે.
વૈજ્ઞાનિક તારણો મુજબ, આ વર્ષે દેશમાં સામાન્યના ૯૦ થી ૯૬ ટકા જેટલો વરસાદ પડવાની સંભાવના છે. ગુજરાતની વાત કરીએ તો, અહીં વરસાદ સામાન્ય કરતાં થોડો ઓછો રહી શકે છે. જોકે, રાહતની વાત એ છે કે દુષ્કાળ જેવી ગંભીર સ્થિતિ સર્જાવાની શક્્યતા નહિવત છે. ચોમાસાનું આગમન વહેલું થવાની ધારણા છે, પરંતુ મહારાષ્ટ્ર પહોંચ્યા બાદ તેની ગતિ ધીમી પડી શકે છે. ખાસ કરીને જુલાઈ અથવા ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાવાની કે નબળો રહેવાની શક્્યતા છે, જે ખેડૂતોની ચિંતામાં વધારો કરી શકે છે.
આ વર્ષના ચોમાસા પર બે મુખ્ય પરિબળોની મોટી અસર જોવા મળશે. અલનીનો અને પોઝિટિવ આઈઓડી. જૂન મહિના સુધીમાં આ બંને સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે. પૂર્વાનુમાન મુજબ, અલનીનો અને આઈઓડી એકબીજા પર હાવી થવાનો પ્રયાસ કરશે. આ બંને વચ્ચેની ખેંચતાણને કારણે વરસાદની પેટર્ન અનિયમિત રહી શકે છે. આનો અર્થ એ છે કે ક્્યારેક અચાનક અત્યંત ભારે વરસાદ પડશે, તો ક્્યારેક લાંબા સમય સુધી વરસાદની અછત જેવી સ્થિતિ જોવા મળશે.
ચોમાસા પૂર્વેના સમયગાળામાં એટલે કે મેના અંતમાં અથવા જૂનની શરૂઆતમાં કુદરતી આફતની પણ ચેતવણી આપવામાં આવી છે. અરબ સાગર અને બંગાળની ખાડી એમ બંને સમુદ્રમાં એક-એક શક્તિશાળી વાવાઝોડું સર્જાય તેવી શક્્યતા છે. આ ઉપરાંત, ચોમાસા દરમિયાન રાજ્યમાં કેટલાક એવા રાઉન્ડ આવશે જેમાં અતિભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે.
આમ, આગામી ચોમાસું અનિયમિતતાથી ભરેલું રહેવાની શક્્યતા છે. ખેડૂતોએ વરસાદના આ બદલાતા મિજાજને ધ્યાનમાં રાખીને ખેતીનું આયોજન કરવું હિતાવહ રહેશે.

