Author: gujarat

દહેજ અને અત્યાચારના કિસ્સાઓમાં વધારો! -વર્ષ ૨૦૨૦-૨૧માં ૫૪ કેસ, ૨૦૨૧-૨૨માં ૭૨ કેસ અને ૨૦૨૨-૨૩માં ૫૨ કેસ નોંધાયા હતાગાંધીનગર, ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આજે અંતિમ દિવસ છે. અંતિમ દિવસે આજે ગૃહમાં અતરાંકિત પ્રશ્નો ચોંકાવનારી વિગતો સામે આવી છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન મહિલાઓ વિરુદ્ધ થતા ગુનાઓ અંગેના અધિકૃત આંકડાઓ સામે આવ્યા છે. જેમાં રાજ્યમાં દહેજને કારણે થતા આપઘાત અને અનુસૂચિત જાતિની મહિલાઓ પર થતા અત્યાચારોની ઘટનાઓમાં નોંધપાત્ર સંખ્યા જોવા મળી છે.જે મુજબ દહેજ પ્રથાનો ભોગ બનતી મહિલાઓ આંકડા સામે આવ્યા છે. વર્ષ ૨૦૨૦થી ૨૦૨૩ દરમિયાન દહેજને કારણે મહિલાઓના આપઘાતના અનેક કિસ્સાઓ નોંધાયા છે. વર્ષ ૨૦૨૦-૨૧માં ૫૪ કેસ, ૨૦૨૧-૨૨માં ૭૨…

Read More

આરોપી નરાધમને પોક્સો હેઠળ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરતા, આ કિસ્સાથી ચીખલી પંથકમાં ચકચાર મચી હતી-સાવકા પિતાએ બે સગીર દીકરીઓને ગર્ભવતી બનાવી(સંપૂર્ણ સમાચાર સેવા) નવસારી, નવસારીના ચીખલી તાલુકામાં સાવકા પિતાએ પોતાની બે સગીર દીકરીઓ પર વારંવાર દુષ્કર્મ આચરી, બંનેને ગર્ભવતી બનાવી છે. આરોપી પિતા લિવ-ઈનમાં રહેતો હતો અને દીકરીઓને લાકડા લેવા જંગલમાં લઈ જઈ કુકર્મ કરતો હતો.પોલીસ પોક્સો હેઠળ તપાસ કરી રહી છે. સંબંધોને લાંછન લગાવતી ઘટના હાલ ચીખલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવી છે, જ્યાં એક યુવકે પોતાની બે સાવકી દીકરીઓ પર હવસ સંતોષ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે.નરાધમ સાવકા બાપે હવસ સંતોષવા માટે બંને દીકરીઓને લાકડા લેવાના બહાને…

Read More

અમદાવાદ: શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા બોપલ-શેલા રોડ પર આજે એક રહેણાંક બિલ્ડિંગમાં આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી છે. પોશ ગણાતા ‘સ્કાય સિટી રિવેરા એલાઇટ’ (Sky City Riviera Elite) બિલ્ડિંગના એક ફ્લેટમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.પ્રાપ્ત વિગતો મુજબ, બિલ્ડિંગના ‘C બ્લોક’ના ત્રીજા માળે આવેલા એક ફ્લેટમાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની જ્વાળાઓ અને કાળા ધુમાડાના ગોટા એટલા ઉંચે સુધી ઉડ્યા હતા કે તે દૂર-દૂર સુધી જોઈ શકાતા હતા. સવારના સમયે લાગેલી આ આગને કારણે બિલ્ડિંગમાં રહેતા રહીશોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ જોવા મળ્યો હતો. લોકો…

Read More

ભૂજમાં વેલ્ડિંગ સહિતનું કામ કરતાં કારીગરો પાસે સગડી બનાવડાવવા માટે ધંધાર્થીઓની લાઈનો લાગી રહી છેહાલમાં રૂપિયા ૧૫૦૦થી લઈને રૂપિયા ૨૫,૦૦૦ સુધીની વિવિધ સાઈઝ અને ડિઝાઈનની સગડીઓની માગમાં ભારે ઉછાળો આવ્યો છે.ભુજ, ગુજરાતભરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત સર્જાતાં ભૂજના ધંધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને રેસ્ટોરન્ટ, હોટલ અને ચાની કેબિનો ચલાવતા વેપારીઓ માટે રસોઈ ગેસ વિના વ્યવસાય ચલાવવો કઠિન બની રહ્યો છે. અનેક સ્થળોએ ગેસ સિલિન્ડર સમયસર ન મળતાં શટર ડાઉન કરવાની ફરજ પડી રહી છે, જેના કારણે રોજગારમાં પણ તેની સીધી અસર જોવા મળી રહી છે.ત્યારે ગેસની અછત વચ્ચે વેપારીઓએ હવે વિકલ્પ તરીકે કોલસાની સગડી તરફ વળવાનું શરૂ કર્યું છે.…

Read More

ગુજરાત વિધાનસભામાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ સુધારા વિધેયક પાસગંભીર બેદરકારીના કિસ્સામાં રજિસ્ટ્રેશન રદ કરવાની પણ સત્તા તંત્ર પાસે રહેશે. તો નિયત સમય મર્યાદામાં નોંધણી ન કરાવનાર સંસ્થાઓ સામે દંડાત્મક કાર્યવાહી થશે.(એજન્સી)ગાંધીનગર, રાજ્યમાં તબીબી સેવાઓની ગુણવત્તા જાળવવા અને નકલી ડોક્ટરો સામે લાલ આંખ કરવાના હેતુથી ગુજરાત સરકાર દ્વારા એક મહત્ત્વનું કદમ ઉઠાવવામાં આવ્યું છે. વિધાનસભા ગૃહમાં ધી ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) (સુધારા) વિધેયક-૨૦૨૬ વિના વિરોધે પસાર કરવામાં આવ્યું છે. આ નવા સુધારાથી હોસ્પિટલો અને ક્લિનિક્સના રજિસ્ટ્રેશનની જટિલ પ્રક્રિયા હવે વધુ લવચીક અને કાર્યક્ષમ બનશે.આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ વિધેયક રજૂ કરતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૧માં આ કાયદો લાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય લાયકાત…

Read More

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માં ભાજપનો મુખ્ય મુદ્દો યુસીસી રહેશેગાંધીનગર, ગુજરાતમાં 31મી માર્ચે વડાપ્રધાન મોદીના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. એક દિવસના પ્રવાસે આવી રહેલા વડાપ્રધાન ઉત્તર ગુજરાત અને ગાંધીનગરના કાર્યક્રમોમાં હાજરી આપી શકે છે. તેમની ગુજરાત મુલાકાત બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થાય તેવી શક્યતાઓ છે.આ દરમિયાન ગઈ કાલે વિધાનસભામાં યનિફોર્મ સિવિલ કોડ બિલ પસાર કરવામાં આવ્યું હતું. હવે આ બિલને લઈને રાજકારણ શરૂ થયું છે. આ બિલને લઈને ભાજપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડશે તેવો પ્લાન તૈયાર કરવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. ગુજરાત વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ પસાર કરવામાં આવ્યા બાદ આજે ભાજપની પ્રદેશ કોર કમિટીની બેઠક…

Read More

(એજન્સી)ગાંધીનગર મુખ્યમંત્રી અલ્પાહાર યોજનામાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે અને શિક્ષણ વિભાગે આ નિર્ણય લીધો છે, મધ્યાહન ભોજન યોજનામાં સુખડી બંધ કરાઈ છે, ફીટ ઇન્ડિયા મુમેન્ટ અંતર્ગત નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં બાળકોને સોમવારે મગ ચાટ અપાશે,મંગળવારે વેજીટેલબલ પૌવા આપવામાં આવશે, બુધવારે મિક્સ કઠોળ ચાટ અપાશે, ગુરુવારે મિલેટ સુખડી અપાશે, શુક્રવારે વેજીટેબલ ઉપમા, શનિવારે વેજીટેબલ પૌવા અપાશે.મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડૉ. મનિષાબેન વકીલના જણાવ્યા મુજબ આંગણવાડી ક્ષેત્રે માળખાગત સુધારા માટે રાજ્યમાં ૨,૦૦૦ નવા આંગણવાડી કેન્દ્રોના બાંધકામ માટે રૂ. ૩૬૦ કરોડની જોગવાઈ, આંગણવાડી કેન્દ્રો ‘ચાઈલ્ડ ફ્રેન્ડલી’ કન્સેપ્ટ પર બનશે, જેમાં મોડ્‌યુલર ફર્નિચર, ઇર્ં મશીન, ન્ઈડ્ઢ ટીવી સ્ક્રીન અને રેઈન વોટર…

Read More

ભક્તોની આસ્થા સાથે જોડાયેલા ધામોના વિકાસ માટે મળતા ફંડનો હિસાબ આપવામાં આટલી મોટી નિષ્ફળતા (એજન્સી) ગાંધીનગર, ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામોનો વિકાસ કરતું ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ છેલ્લા ૧૯ વર્ષથી પોતાનો હિસાબ આપવામાં નિષ્ફળ રહ્યું છે. CAGના અહેવાલો મુજબ, આ બોર્ડે વર્ષ ૨૦૦૬-૦૭ થી અત્યાર સુધીના વાર્ષિક વહીવટી અહેવાલો વિધાનસભા સમક્ષ રજૂ કર્યા નથી.સત્તાવાર વિગતો અનુસાર, ગાંધીનગર સ્થિત ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ના કુલ ૧૯ વાર્ષિક અહેવાલો બાકી બોલે છે. ૩૧ જુલાઈ ૨૦૨૫ સુધીની સ્થિતિએ, આ સંસ્થાએ ૨૦૦૬-૦૭ થી લઈને ૨૦૨૪-૨૫ સુધીના ઓડિટ રિપોર્ટ જમા કરાવ્યા નથી. નિયમ મુજબ, દરેક સ્વાયત્ત સંસ્થા કે બોર્ડે દર વર્ષે પોતાના હિસાબ અને કામગીરીનો…

Read More

વાડજમાં ડમ્પર ચાલકે અડફેટે લેતાં એકનું કરૂણ મૃત્યુ(એજન્સી)અમદાવાદ અમદાવાદમાં બેફામ દોડતા ભારે વાહનોનો કહેર ફરી એકવાર જોવા મળ્યો છે. વાડજ સર્કલ પાસે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.વાડજની હનુમાનપુરા ચાલીમાં રહેતા ધીરજભાઈ નામના વ્યક્તિ વહેલી સવારે ઘરની બહાર ચા પીવા માટે નીકળ્યા હતા. ચા પીધા બાદ તેઓ જ્યારે ચાલીને પોતાના ઘર તરફ પરત ફરી રહ્યા હતા, ત્યારે કાળમુખા ડમ્પરે તેમને જોરદાર અડફેટે લીધા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ધીરજભાઈને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.અકસ્માત સર્જાયા બાદ ડમ્પર ચાલક માનવતા નેવે મૂકીને વાહન થોભાવવાને બદલે ત્યાંથી નાસી છૂટ્યો હતો.…

Read More

એક વર્ષમાં દેવામાં ૨૨ હજાર કરોડનો વધારો થયો છે(એજન્સી)ગાંધીનગર, ગુજરાત વિધાનસભાના સત્રના છેલ્લા દિવસે નિયામક અને મહાલેખા પરીક્ષકનો મહત્વપૂર્ણ અહેવાલ ગૃહમાં રજૂ કરવામાં આવ્યો હતો. નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫નો આ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં રાજ્યની નાણાકીય સ્થિતિ, જાહેર દેવું અને આવક-ખર્ચ અંગેના મહત્વપૂર્ણ આંકડા જાહેર કરવામાં આવ્યા છે.અહેવાલ મુજબ, ગુજરાતનું કુલ જાહેર દેવું ૩.૮૦ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે. ગત વર્ષની સરખામણીએ રાજ્યના જાહેર દેવામાં અંદાજે ૨૨ હજાર કરોડ રૂપિયાનો વધારો નોંધાયો છે, જે રાજ્યના વધતા નાણાકીય બોજ તરફ સંકેત કરે છે.આ ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી બજાર લોન પણ નોંધપાત્ર રીતે વધી…

Read More