બે મુસાફરો પાસે રહેલી ટિકિટના સિરિયલ નંબર એકસરખા જણાતા રેલવેની ટીમ સતર્ક થઈ ગઈ હતીઆરોપીઓ નકલી ટિકિટ વેચીને મુસાફરો પાસેથી પૈસા પડાવતા હતા અને બાદમાં અસલી ટિકિટો કાઉન્ટર પર જમા કરાવી રેલવે પાસેથી રિફંડ લેતા હતાઅમદાવાદ, પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા મુસાફરોની સુરક્ષા અને પારદર્શક ટિકિટિંગ સિસ્ટમ સુનિશ્ચિત કરવા માટે ચલાવવામાં આવેલા સઘન અભિયાનમાં નકલી રેલ ટિકિટોના એક આંતરરાજ્ય સંગઠિત રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. મંડળ રેલ પ્રબંધક (DRM) શ્રી વેદ પ્રકાશના સીધા માર્ગદર્શન હેઠળ આ સફળ કામગીરી પાર પાડવામાં આવી છે.તારીખ ૨૧ માર્ચ ૨૦૨૬ના રોજ પ્રયાગરાજ–અમદાવાદ એક્સપ્રેસ (ટ્રેન નં. ૨૨૯૬૮) જ્યારે અમદાવાદ સ્ટેશને પહોંચી, ત્યારે ટિકિટ ચેકિંગ સ્ટાફના શ્રી…
Author: gujarat
છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદમાં મચ્છર મારવા 34.86 કરોડનો ધૂમાડો કરાયોફોગીંગ, IRS અને ઇન્ટ્રા ડોમેસ્ટિક કામગીરી માટે વર્ષ ૨૦૨૦-૨૧માં થયેલા ૪.૧૫ કરોડ ખર્ચની સામે વર્ષ ૨૦૨૪-૨૫ માં તે વધીને ૧૫ કરોડ પર પહોંચી ગયો છે. અમદાવાદ, AMC દ્વારા મચ્છરજન્ય રોગચાળાને નાથવા માટે કરવામાં આવતા ખર્ચના આંકડાઓ સામે આવ્યા છે, જે ચોંકાવનારા છે. મચ્છર મારવા વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૫ દરમિયાન એટલે કે, છેલ્લા પાંચ વર્ષમાં ફોગીંગ, આઈ.આર.એસ.અને ઇન્ટ્રા ડોમેસ્ટિક કામગીરી પાછળ ૩૪.૮૬ કરોડનો ધુમાડો છતાં સ્થિતી ઠેરની ઠેર જોવા મળી રહી છે.વર્ષ ૨૦૨૪-૨૫માં મચ્છર નિયંત્રણ ફોગીંગ પાછળ સૌથી વધુ ૧૫ કરોડ ખર્ચાયા છે. બજેટ બેઠક ૨૦૨૬-૨૦૨૭ અંતર્ગત મ્યુનિ. વિપક્ષના કોર્પોરેટરને પ્રશ્નના જવાબમાં…
10 કરોડની રોકડ રકમ તથા 40 કરોડના સોના- ચાંદીના દાગીના, જ્વેલરી મળીમયુર ડાઈકેમના ભાગીદાર સુજલ પટેલના બોપલ સ્થિત નિવાસસ્થાને 1.13 લાખની વિદેશી દારૃની 33 બોટલનો જથ્થો મળ્યોઅમદાવાદ, આવકવેરા વિભાગ દ્વારા વટવામાં આવેલા મયુર ડાઈકેમની ફેક્ટરી, ઓફિસ મયુર ડાઈકેમના ડાયરેક્ટરો, ભાગીદારો સહિત 20 સ્થળે ચાલી રહેલી ચાર દિવસની દરોડાની કાર્યવાહીના અંતે રૃ.200 કરોડના બેનામી વ્યવહારોના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે અને રૃ.10 કરોડની રોકડ રકમ તથા રૃ.40 કરોડના સોના- ચાંદીના દાગીના, જ્વેલરી જપ્ત કરવામાં આવી છે.મયુર ડાઈકેમના મયુર પટેલ અને સુજલ પટેલ પર દરોડાની કાર્યવાહી પૂરી કરવામાં આવી છે અને દરોડાની કાર્યવાહી દરમિયાન જપ્ત કરાયેલા દસ્તાવેજો, કાચી નોંધ ધરાવતી ચિઠ્ઠીઓ, બેંકિંગ…
કરોડો રૂપિયાનાં વિકાસકાર્યો કરવામાં આવ્યા છે તેની જાણકારી દરેક વોર્ડનાં મતદારો સુધી પહોંચાડવી જરૂરી(પ્રતિનિધિ) અમદાવાદ, મ્યુનિ.ની આગામી સામાન્ય ચૂંટણીમાં પ્રચારમાં અગ્રેસર રહેવા માટે ભાજપે અનેક સ્તરે તૈયારીઓ આદરી છે અને તેમાં ખાસ કરીને ભાજપ શાસનમાં તમામ વોર્ડમાં પાંચ વર્ષ દરમિયાન કયા કયા પ્રકારનાં વિકાસકાર્યો કરવામાં આવ્યા અને કેટલા કરોડનાં ખર્ચે કરવામાં આવ્યા તેની વિગતવાર માહિતી પૂરી પાડતી રંગીન બુકલેટ તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.મ્યુનિ.માં સને ૨૦૨૧થી ૨૦૨૬ સુધીનાં પાંચ વર્ષનાં ભાજપનાં શાસનમાં કદાવર બજેટ રજૂ કરવામાં આવ્યા અને કરોડો રૂપિયાનાં વિકાસકાર્યો કરવામાં આવ્યા છે તેની જાણકારી દરેક વોર્ડનાં મતદારો સુધી પહોંચાડવી જરૂરી છે.તેમ જણાવતાં પૂર્વ ડે.મેયર જતીનભાઇ પટેલ…
વર્તમાન પરિસ્થિતિને જોતાં લેવાયેલો નિર્ણયગેસ કંપનીને નવા જોડાણો આપવા માટે રોડ ખોદવાની જરૂર પડતી હોય છે અને તેના માટે દરેક ઝોનમાં ઇજનેર ખાતામાં અરજી કરવી પડે છેઅમદાવાદ,શહેરમાં એક તરફ રાંધણગેસ (એલપીજી)નો અને કોમર્શિયલ એકમોમાં કોમર્શિયલ એલપીજી ગેસનો કકળાટ ચાલી રહ્યો છે, ત્યારે મ્યુનિ.એ મહત્વનો નિર્ણય લઇને રાંધણગેસની સમસ્યાથી નાગરિકોને રાહત આપવા માટે તમામ ઝોનમાં પીએનજી જોડાણો આપવા માટે ગેસ કંપનીની ત્રણ એજન્સીઓને રોડ ખોદવાની મંજૂરી તાબડતોબ આપી દીધી છે. ઉપરાંત, રોડ ખોદવાની મંજૂરી આપ્યા બાદ રોડ રિપેરિંગની કામગીરી જે તે એજન્સીએ કરાવવાની હોય છે, પરંતુ કમિશનરે રોડ રિપેરિંગનો ખર્ચ કંપની પાસેથી લઇને મ્યુનિ. પોતે રોડ રિપેર કરાવશે તેવો નિર્ણય લીધો…
ગઠિયાએ બેન્કનો બ્રાંચ મેનેજર વાત કરું છું, KYC બાકી છે કહી કોલ કર્યાેયુવકે સાયબર હેલ્પલાઇનમાં જાણ કર્યા બાદ નિકોલ પોલીસ મથકે ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધ્યોઅમદાવાદ,અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા અને કન્સ્ટ્રક્શન કંપનીમાં સુપરવાઇઝર તરીકે કાર્યરત યુવક સાયબર છેતરપિંડીનો ભોગ બન્યો છે. અજાણ્યા શખ્સે KYC અપડેટ કરવાનું કહીને પહેલા સામાન્ય ફોન કર્યાે અને ત્યારબાદ છઁદ્ભ ફાઇલ ઇન્સ્ટોલ કરાવી હતી. ગઠિયાએ વીડિયો કોલ દ્વારા એપ્લિકેશનમાં વિવિધ કોડ નખાવીને યુવકના બંને બેંક ખાતા હેક કર્યા અને તેમાંથી રૂ. ૧.૨૫ લાખ સેરવી લીધા હતા. આ મામલે યુવકે સાયબર હેલ્પલાઇનમાં જાણ કર્યા બાદ નિકોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.નિકોલમાં ૩૩ વર્ષીય પ્રકાશભાઈ સાવલિયા પરિવાર સાથે…
સાબરકાંઠાથી ૯ દિવસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે એજન્ટ સહિત પાંચ જણાને ઝડપી લીધા ઃ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરીહિંમતનગર,સાબરકાંઠાના અંતરિયાળ ખેડબ્રહ્મા પંથકમાં રહેતા એક શખ્સે ૧પ દિવસ અગાઉ નવ દિવસની બાળકીને ઉપાડી જઈ અમદાવાદમાં રૂ.ર લાખમાં વેચી દીધી હોવાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ રવિવારે બાળ તસ્કરીમાં સંડોવાયેલા પાંચ જણા સામે એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં માનવ તસ્કરીનો ગુનો નોંધાવી પાંચેયને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.જિલ્લા પોલીસવડા ર્ડા.પાર્થરાજસિંહ ગોહિલ તથા એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમે જણાવ્યા મુજબ, ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે માનવ તસ્કરીનો ગુનો નોંધવામાં આવ્યો છે. જેની વિગત એવી છે કે, બે…
સુરતમાં ઇન્સ્ટા ફ્રેન્ડે વોટ્સએપ પર ન્યૂડ ફોટા મંગાવી વાઇરલ કરવાની ધમકી આપી પાલની હોટલમાં લઈ ગયોસુરત,સુરતમાં સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરાને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી બ્લેકમેલિંગ દ્વારા દુષ્કર્મ આચરવાની હીન ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે. ઈન્સ્ટાગ્રામ પર મિત્ર બનેલા લિંબાયતના નરાધમે સગીરાના નગ્ન ફોટા અને વીડિયો મેળવી તેને શારીરિક-માનસિક ત્રાસ આપ્યો હતો. એટલું જ નહીં, સગીરાનો ભાઈ જ્યારે તેને સમજાવવા ગયો ત્યારે તેને પણ ‘ઉંચકાવી લેવાની’ ધમકી આપતા આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.ઈચ્છાપોર પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી આરોપી મોહંમદ સાજીદ પઠાણની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.ઘટનાની વિગતો મુજબ સુરતમાં રહેતી અને ધોરણ…
ટાયર અને સ્પેરપાટ્ર્સના ભાવમાં પણ ૩થી ૪ ટકાનો વધારો થયો ડીઝલની અછત અને વધતા ભાવને કારણે ટ્રાન્સપોર્ટ એસોસિએશને ૨૪ માર્ચથી નવા દર અમલી બનાવ્યાભૂજ,મિડલ ઈસ્ટના દેશોમાં ચાલી રહેલી યુદ્ધની સ્થિતિના કારણે વૈશ્વિક સ્તરે ઉભી થયેલી કટોકટીની સીધી અસર હવે કચ્છના પરિવહન ક્ષેત્ર પર જોવા મળી રહી છે. કંડલા મુન્દ્રા કન્ટેનર ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશન દ્વારા એક સત્તાવાર ‘ટ્રેડ નોટિસ’ જાહેર કરીને ટ્રાન્સપોર્ટેશનના દરોમાં ૨૦%નો ધરખમ વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણય પાછળ ડીઝલની અછત અને સતત વધી રહેલા ભાવ મુખ્ય કારણ હોવાનું જણાવાયું છે.એસોસિએશનના પ્રમુખ ભગીરથસિંહ જી. જાડેજાએ મીડિયાને જણાવ્યું હતું કે, મિડલ ઈસ્ટમાં યુદ્ધને કારણે રિટેલ પંપો પર…
મૃતક તુષાર ઘેલાણી જ્યારે ભારે તણાવમાં આવી ગયા હતા, ત્યારબાદ તેઓ સતત નિરાશ અને હતાશ રહેવા લાગ્યા હતાફરિયાદ રદ કરવાની પૂનમ ભદોરિયાની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધીઅમદાવાદ ,સુરતના એક બિલ્ડરને આપઘાતની દુષ્પ્રેરણા આપવાનો ગુનો પૂનમ ભદોરિયા નામની મહિલા સામે નોંધાયો હતો. જેણે ફરિયાદ રદ કરવા માટે હાઇકોર્ટ સમક્ષ કરેલી ક્વોશિંગ પિટિશન ફગાવી દેવામાં આવી છે. સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં ફેબ્›આરીમાં આરોપી પૂનમ ભદોરીયા સામે સુરતના બિલ્ડર તુષાર ઘેલાણીની પુત્રીએ પિતાને આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાની ફરિયાદ નોંધાવી હતી. આરોપી મહિલા પૂનમ ઉપર આક્ષેપ છે કે તે ફરિયાદીના પિતા તુષાર ઘેલાણીને સતત માનસિક રીતે હેરાન કરતી હતી.અવારનવાર બદનામ કરવાની ધમકીઓ પણ આપતી હતી.…
