સારવારમાં 92% સફળતા દર સાથે રાષ્ટ્રીય ટીબી નાબૂદી અભિયાનમાં મોખરે_• *94%લક્ષ્ય સિદ્ધ:* નીતિ આયોગના1.40લાખના લક્ષ્યાંક સામે1,31,801ટીબી દર્દીઓની સફળતાપૂર્વક ઓળખ અને નોંધણી__• *₹49.10કરોડની નાણાકીય સહાય:*2025માં92,921દર્દીઓને પોષણ સહાય માટે સીધી નાણાકીય મદદ પૂરી પાડવામાં આવી__• *4.49લાખ પોષણ કિટ:*31,058 નોંધાયેલા સમુદાય સ્વયંસેવકો (નિક્ષય મિત્રો) ના મજબૂત નેટવર્ક દ્વારા દર્દીઓને પોષણ કિટનું વિતરણ કરવામાં આવ્યું_• *75.39લાખ લોકોનું સ્ક્રીનિંગ:* સઘન ટીબી નાબૂદી અભિયાન હેઠળ મોટા પાયે પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું,જેના પરિણામે1.63લાખ નવા કેસોને સક્રિય સારવાર હેઠળ લાવવામાં આવ્યા_વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘ટીબી મુક્ત ભારત’ના વિઝનને સાકાર કરવાની દિશામાં ગુજરાત નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યએ નીતિ આયોગે ટીબીની નોંધણી અને…
Author: gujarat
અમદાવાદ, પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળે ચાલુ નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન ફ્રેઈટ લોડિંગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતાં 23 માર્ચ 2026 સુધી 50.10 મિલિયન ટન (MT)નો આંકડો સફળતાપૂર્વક પાર કર્યો છે. આ ગયા વર્ષ કરતાં આશરે 4 મિલિયન ટન વધુ છે, જે મંડળની સતત પ્રગતિ અને કાર્યક્ષમતાને દર્શાવે આપે છે.મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશના નેતૃત્વ હેઠળ અમદાવાદ મંડળના પરિચાલન અને વાણિજ્ય વિભાગોની ટીમ દ્વારા અપનાવવામાં આવેલી પ્રભાવી રણનીતિઓ — જેમ કે રિયલ-ટાઈમ મોનીટરીંગ, ઝડપી નિર્ણય પ્રક્રિયા અને સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ — એ આ ઉપલબ્ધીમાં માં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.ઉલ્લેખનીય છે કે અગાઉના નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન મંડળે 50.38 મિલિયન ટનનું સર્વોચ્ચ લોડિંગ…
આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાની દ્વિતીય‘સ્વાસ્થ્ય પરિષદ‘યોજાઈમંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે સ્ટેટ ઓફ એડોલેસેન્ટ ગર્લ્સ – ૨૦૨૫ રિપોર્ટનું વિમોચન કરવામાં આવ્યુંરાયસણ,ગાંધીનગર સ્થિત ઇન્ટરનેશનલ ઓટોમોબાઈલ સેન્ટર ઓફ એક્સિલેન્સ (IACE)ખાતે આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાની દ્વિતીય ‘સ્વાસ્થ્ય પરિષદ’ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. આ અવસરે મંત્રીશ્રીના હસ્તે ‘સ્ટેટ ઓફ એડોલેસેન્ટ ગર્લ્સ – ૨૦૨૫’ રિપોર્ટનું વિમોચન કરવામાં આવ્યું હતું.પરિષદને સંબોધતા મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે,મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતને સ્વાસ્થ્ય ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અગ્રેસર બનાવવા અને છેવાડાના માનવી સુધી ઉત્કૃષ્ટ આરોગ્ય સુવિધાઓ પહોંચાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તેમણે ઉમેર્યું હતું કે,આ પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોના આરોગ્યને અસર…
‘સુગમ ડિજિટલ ગુજરાત’:લાઈનમાંથી ઓનલાઇન તરફ પ્રજાકીય સુખાકારીનું વધુ એક કદમઆ પહેલ દ્વારા હવે આવક-જ્ઞાતિના દાખલા,રેશનકાર્ડ અને સોગંદનામા જેવી પાયાની સેવાઓ‘ફેસલેસ,કેશલેસ અને પેપરલેસ‘બનશે.આપણો મુખ્ય ઉદ્દેશ્ય એક જ હોવો જોઈએ કે પ્રજાજનોના કામ સરળ થાય,જેટલી સરળતાથી લોકોનું કામ થશે,એટલો જ તંત્ર અને સરકારને વધુ સંતોષ મળશે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલડિજિટાઇઝેશન એ વર્તમાન ભારત,વર્તમાન ગુજરાત અને વર્તમાન નેતૃત્વની દેન છે: વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયામુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે રાજ્યના વહીવટી તંત્રને વધુ આધુનિક અને નાગરિક-કેન્દ્રી બનાવવાના ઉદ્દેશ્ય સાથે‘સુગમ ડિજિટલ ગુજરાત‘પહેલનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના‘વિકસિત ભારત‘ના સંકલ્પને સાકાર કરવા અને ગુજરાતના નાગરિકોને…
શહેરોમાં સ્વદેશી ચીજવસ્તુઓના વેચાણને પ્રોત્સાહન આપવા માટે ‘નમો સ્વદેશી અર્બન મોલ્સ’ બનાવાશેસર્વાંગી વિકાસ અને ‘મુખ્યમંત્રી નગર નવજીવન યોજના’ દ્વારા જૂના વિસ્તારોનો થશે કાયાકલ્પ*મહાનગરપાલિકાઓમાં રમતગમત સુવિધાઓ અને ફ્લાયઓવરની નીચે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે રૂ. ૧૫૦ કરોડની જોગવાઈ*વિધાનસભા ગૃહમાં શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગની રૂ. ૩૩,૫૦૪ કરોડની અંદાજપત્રીય માંગણી પસારગાંધીનગર, વિધાનસભા ગૃહમાં શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓની પર ચર્ચા કરતા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે,ગુજરાત આજે ભારતના શહેરી વિકાસનું ‘ગ્રોથ એન્જિન’ બન્યું છે. રાજ્યની ૪૮ ટકા વસ્તી શહેરોમાં વસે છે,જેને ધ્યાનમાં રાખીને વર્ષ ૨૦૨૬-૨૭ માટે રૂ. ૩૩,૫૦૪ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ બજેટ માત્ર ખર્ચ…
સરકારની અપીલની અસર નહીં!અનેક ઈ-કોમર્સ પ્લેટફોર્મની ડિલિવરી સેવાઓને માઠી અસર પડી છે અને કેટલીક જગ્યાએ સેવાઓ સંપૂર્ણ બંધ કરાઈમુંબઈ,ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકા વચ્ચેના યુદ્ધની માઠી અસર હવે ગુજરાતના રસ્તાઓ પર દેખાઈ રહી છે. રાંધણ ગેસની તંગી બાદ હવે પેટ્રોલ-ડીઝલ પણ નહીં મળે તેવી અફવા વાયુવેગે આખા રાજ્યમાં પ્રસરતા જનજીવન ખોરવાયું છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના પેટ્રોલ પંપો પર વાહનચાલકોની અડધો કિલોમીટર લાંબી કતારો લાગી છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે ભીડને કાબૂમાં લેવા અને બોલાચાલી રોકવા માટે અનેક સ્થળોએ પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી છે. ગઇકાલ બપોરથી અફવા બાદ સરકારે વારંવાર પેટ્રોલનો પૂરતો જથ્થો હોવાની અપીલ કરી.તેમ છતાં મોડી રાત…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું ડિકીન યુનિવર્સિટી-ગિફ્ટ કેમ્પસની પ્રથમ ગ્રેજ્યુએટ બેચના દીક્ષાંત સમારોહમાં પ્રેરક સંબોધન*::મુખ્યમંત્રીશ્રી ::**ભારતે છેલ્લા એક દાયકાથી ગ્લોબલ નોલેજ અને એજ્યુકેશન સેક્ટર માટે ક્રાંતિકારી પગલાં ભર્યા છે.*વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશમાં ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં સતત વધારો થયો છે.*ઇન્ટર્નશિપ,અપ્રેન્ટિસશિપ અને સ્કિલ આધારિત કોર્સીસથી શિક્ષણને ઉદ્યોગ સાથે જોડીને યુવાઓને આત્મનિર્ભર બનવાની તક પૂરી પાડી છે*ગિફ્ટ સિટીમાં ફાઈનાન્સિયલ સર્વિસીસ,ટેકનોલોજી અને એજ્યુકેશનનું અનોખું સંકલન થયું છે.* NIFT, NID, IIT-ગાંધીનગર,ડીએ-આઈ.આઈ.સી.ટી.,નાઈપર જેવી પ્રતિષ્ઠતિ શૈક્ષણિક સંસ્થાઓ કાર્યરત થવાથી ગાંધીનગર હવે એજ્યુકેશનલ હબ બન્યુ છે.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના એજ્યુકેશન સેક્ટરનું ગ્લોબલ નીડ બેઝ્ડ ટ્રાન્સફોર્મેશન થયું છે. આ માટે તેમણે ઉચ્ચ શૈક્ષણિક…
નવી દિલ્હી, ભારતીય રેલવે દ્વારા મંગળવારે કનેક્ટિવિટી વધારવા, ટ્રાફિકનું ભારણ ઘટાડવા અને કાર્યક્ષમતામાં સુધારો કરવાના હેતુથી ગુજરાત અને બિહારમાં કુલ રૂ. ૬૪૭.૫૮ કરોડના બે મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે.રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટ્સમાં ગુજરાતના કોસંબા ખાતે ‘રેલ ઓવર રેલ’ (RoR) ફ્લાયઓવર અને બિહારના ભાગલપુરમાં નવા રેલ બાયપાસનું નિર્માણ સામેલ છે.ગુજરાતમાં પશ્ચિમ રેલવે હેઠળ આવતા ૯.૨૦ કિમી લાંબા કોસંબા-ઉમરપાડા ગેજ કન્વર્ઝન સેક્શનને સીધી કનેક્ટિવિટી પૂરી પાડવા માટે રૂ. ૩૪૪.૩૮ કરોડના પ્રોજેક્ટને મંજૂરી અપાઈ છે. આ સેક્શન મુંબઈ-વડોદરા મેઈન લાઈન પર આવેલું છે અને હાલમાં ત્યાં ગેજ પરિવર્તનની કામગીરી ચાલી રહી છે.મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે, “ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર…
રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. -પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી : મુખ્યમંત્રીગાંધીનગર,ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની અછતની અફવાઓ શરૂ થતાં જ લોકોમાં ભારે પેનિક થયો હતો. સોમવારથી જ સમગ્ર રાજ્યમાં પેટ્રોલ પંપો પર પેટ્રોલ ભરાવા માટે લોકોની ભારે લાઈનો લાગી હતી. સરકાર અને તંત્ર દ્વારા લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે, પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ખોટી અફવાઓના ડરથી પેનીક થવું નહીં. બીજી તરફ પુરવઠા અધિકારીએ દરેક જિલ્લાને એક પત્ર લખીને સંગ્રહખોરી સામે એક્શન લેવા આદેશ કર્યો છે. બીજી તરફ મુખ્યમંત્રીએ પણ લોકોને અપીલ કરી છે. પેટ્રોલ અને ડીઝલની અછતની ખોટી અફવાઓમાં આવીને લોકો પેટ્રોલ પંપ પર લાઈનો…
લોકસભામાં પીએમ મોદીના ભાષણ પર ટાર્ગેટ કર્યો -આદિવાસી નેતા બિરસા મુંડાની વિરાસત અને તેમના વિચારો હુમલો થઈ રહ્યો છેવડોદરા, ગુજરાત પ્રવાસે આવેલા કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને પ્રધાનમંત્રી મોદી પર પ્રહારો કર્યા હતા. રાહુલે કહ્યું કે, જ્યારે પણ તેઓ જાતિ આધારિત વસ્તી ગણતરીની વાત કરે છે તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને પ્રધાનમંત્રી તેનો વિરોધ કરે છે. વડોદરામાં આયોજિત આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનને સંબોધન કરતા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે આદિવાસીઓને વનવાસી કહેવું સંવિધાન, આદિવાસી નેતા બિરસા મુંડાનું અપમાન છે.તેમણે કહ્યું કે, આ પ્રકારના શબ્દોનો ઉપયોગ આદિવાસી સમાજની ઓળખને નબળી કરે છે. તેમણે…
