રાજ્યપાલશ્રીના હસ્તે શ્રી સ્વામિનારાયણ ગુરુકૂળ રાજકોટના ટ્રસ્ટી શ્રી મનુભાઈ પટોલિયા દ્વારા લિખિત ‘From Startups to Success’પુસ્તકનું વિમોચનરાજકોટ, ગાંધીનગર લોકભવન ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે શ્રી સ્વામિનારાયણ ગુરુકૂળ રાજકોટના ટ્રસ્ટી શ્રી મનુભાઈ પટોલિયા દ્વારા લિખિત ‘From Startups to Success’પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. આ તકે રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે,જીવનમાં સફળતા માત્ર આર્થિક પ્રગતિ સુધી જ સિમિત નથી પરંતુ સંસ્કાર,નૈતિકતા અને માનવીય મૂલ્યોનું જતન પણ એટલું જ જરૂરી છે. ગ્રામ્ય જીવનમાંથી આગળ વધીને વૈશ્વિક સ્તરે સફળતા પ્રાપ્ત કરનાર શ્રી મનુભાઈ પટોલિયાનું જીવન યુવા પેઢી માટે પ્રેરણાદાયક છે. તેમના 72 વર્ષના અનુભવોના આધારે લખાયેલ ‘ફ્રોમ સ્ટાર્ટઅપ ટુ સક્સેસ’ પુસ્તક સંઘર્ષ કરતા યુવાનોને સાચી દિશા અને…
Author: gujarat
અમદાવાદ-ગાંધીનગરને જોડતા ઇન્દિરા બ્રિજ પર તિરાડો હોવા અંગેના અહેવાલ અંગે સ્પષ્ટતાઅમદાવાદ, તાજેતરમાં વિવિધ માધ્યમોમાં અમદાવાદ-ગાંધીનગરને જોડતા ઇન્દિરા બ્રિજ પર તિરાડો હોવા અંગેના સમાચાર પ્રસિદ્ધ થયેલ છે, જે બાબતે પાટનગર યોજના વિભાગ-૩ ના કાર્યપાલક ઇજનેરશ્રી તથા પેટા વિભાગ-૧૮ ના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી દ્વારા સંયુક્ત રૂબરૂ ચકાસણી કરતા માલુમ પડેલ છે કે ન્યૂઝમાં દર્શાવેલ વિગતો તદ્દન ખોટી અને ભ્રામક છે.વાસ્તવમાં જેને તિરાડ ગણાવવામાં આવી રહી છે તે કોઈ સ્ટ્રક્ચરલ ક્ષતિ નથી પરંતુ બ્રિજના બે સ્પાન વચ્ચે રાખવામાં આવેલ ‘એક્સપાન્શન જોઈન્ટ’ છે, જે ઋતુ મુજબ તાપમાનમાં થતા ફેરફારને કારણે મટીરીયલમાં થતી વધઘટને નિવારવા માટે સિવિલ એન્જિનિયરિંગના નિયમ મુજબ મૂકવામાં આવે છે.આ બ્રિજની વિભાગ…
રાજ્યના વિવિધ જળ પ્લાવિત વિસ્તારોમાં વર્ષ ૨૦૨૪-૨૫માં અંદાજે કુલ ૮.૩૩ લાખથી વધુ પક્ષીઓ બન્યા ગુજરાતના મહેમાનØ ખિજડીયા પક્ષી અભયારણ્યમાં ૩૩૪ પ્રજાતિઓના ત્રણ લાખથી વધુ પક્ષીઓ નોંધાયાØ નળ અને થોળ પક્ષી અભયારણ્યમાં અંદાજે કુલ ૪.૬૭ લાખથી વધુ પક્ષીઓ જોવા મળ્યાØ વઢવાણા વેટલેન્ડ વિસ્તારમાં ૫૪ હજારથી વધુ પક્ષીઓ નોંધાયાØ કચ્છ વિસ્તારમાં વર્ષ ૨૦૨૫માં અંદાજે ૨,૫૬૪ પક્ષીઓ જોવા મળ્યાસમગ્ર વિશ્વમાં આશરે ૯,૦૦૦ જેટલા વિવિધ જાતિના પક્ષીઓમાંથી ૧,૨૦૦ જાતિના પક્ષીઓ ભારતમાં જોવા મળે છે. જેમાંથી ૪૦૦થી વધુ પ્રજાતિઓ પરદેશી પ્રવાસી પંખીઓની છે. આ યાયાવર પક્ષીઓ સાયબીરીયા, પૂર્વ યુરોપ,ઉત્તર અને મધ્ય એશિયામાંથી ગુજરાત સહિત ભારતમાં આવે છે.રાજ્યમાં પક્ષી-પ્રાણી સૃષ્ટિના સંરક્ષણ અને સંવર્ધનની સાથે પર્યાવરણના જતન…
મુખ્યમંત્રીના વિશેષ પ્રયાસોથી એડવાન્સ પ્રોસ્થેટિક પગ પ્રાપ્ત કરનાર ગગદાસ પરમાર જુએ છે ઓલિમ્પિકનું સપનુંઅમદાવાદ, ગગદાસ પરમારના બન્ને પગ કપાઈ ગયા હોવા છતાં આજે આ યુવાનની આંખોમાં ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું સપનું રમે છે. આ શક્ય બન્યું છે ગગદાસના સાહસ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સાથ-સહકારથી.ગગદાસ રોજ સવારે100અને200મીટર રેસની તૈયારી કરી રહ્યો હોય છે ત્યારે તેના મનમાં એક જ સંકલ્પ હોય છે – ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને રાજ્યને ગૌરવ અપાવવું.દિવ્યાંગ ગગદાસ પરમારની કરુણ કહાણી તેના પોતાના આત્મવિશ્વાસ,પરિવારની હૂંફ અને સરકારના સાથ-સહયોગથી પ્રેરણાદાયક કથામાં પરિવર્તિત રહી છે.ગગદાસના સપના કોઈ શેખચલ્લીનાં સપનાં નથી,કારણ કે તે રાષ્ટ્રીય સ્તરે સ્વર્ણ અને કાંસ્ય પદક જીતી લાવ્યો…
આ ઝુંબેશ દરમિયાન સોના–ચાંદીના વેપારીઓ તથા જ્વેલરી શો રૂમમાં વપરાતા વજનકાંટાની તપાસ રાજ્યના ૨૫ જિલ્લાઓમાં વિવિધ એકમો ઉપર ૨૫૩ જેટલા પ્રોસિક્યુશન કેસ કરીને રૂ. ૬.૭૯ લાખની માંડવાળ ફી સ્થળ પર જ વસૂલાઈગત વર્ષ દરમિયાન વિવિધ વેપારીઓ પાસેથી વિવિધ ગેરરીતિ બદલ કાનૂની માપવિજ્ઞાન તંત્ર દ્વારા કુલ રૂ.૧૮.૭૭ લાખથી વધુની માંડવાળ ફી વસૂલ કરાઈઅમદાવાદ, ગ્રાહકોના હિતોની રક્ષા,વેપારમાં પારદર્શિતા અને યોગ્ય માપતોલ સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં કાનૂની માપવિજ્ઞાન તંત્ર દ્વારા રાજ્યભરમાં નિયમિત રીતે કાર્યવાહીની સાથે ગ્રાહક જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે.આ અભિયાનના ભાગરૂપે ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રી શ્રી રમણ સોલંકી તેમજ રાજ્ય મંત્રી શ્રી પી.સી બરંડાના નેતૃત્વમાં તોલમાપ…
રાજ્યમાં રાજપીપળા,મોરબી,નવસારી,ગોધરા અને પોરબંદર એમ પાંચ મેડિકલ કોલેજ,હોસ્પિટલ્સ અને હોસ્ટેલ્સના નિર્માણ કાર્યો આ2026ના વર્ષના ડિસેમ્બર માસ સુધીમાં પૂર્ણ થઈ જશે. 2026ના અંત સુધીમાં ગુજરાતમાં પાંચ મેડિકલ કોલેજો અને હોસ્પિટલોના નિર્માણ કામો પૂર્ણ થશે-કેન્દ્ર પુરસ્કૃત આરોગ્યલક્ષી 10મુખ્ય યોજનાઓની સર્વગ્રાહી સમીક્ષા કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલઆયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-માં ના પારદર્શી-ઝડપી અને એ.આઈ. બેઝ્ડ ટેક્નોલોજીથી અમલીકરણ કરવા મુખ્યમંત્રીશ્રીનું સૂચનગ્રામીણ સ્તર સુધી હોલિસ્ટીક હેલ્થકેરનો વડાપ્રધાનશ્રીનો અભિગમ ગુજરાતમાં ૭૭૩૩ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા સાકાર થઈ રહ્યો છેગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અંતરિયાળ અને છેવાડાના ગ્રામ્ય વિસ્તારો તથા તાલુકાઓ સુધીની આરોગ્ય સુખાકારીની યોજનાઓની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક…
વૈશ્વિક સિરામિક હબ: ભારતની કુલ સિરામિક નિકાસમાં મોરબીનો હિસ્સો 90% જેટલોપોલીપેક ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રે પણ મોરબી બની શકે છે ગુજરાત રાજ્યનો અગ્રણી જિલ્લોગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)કચ્છ-સૌરાષ્ટ્રની બીજી આવૃત્તિ માટે સજ્જ થઈ રહ્યું છે. તારીખ 11 અને 12 જાન્યુઆરી 2026 દરમિયાન રાજકોટ ખાતે યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC)કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગરૂપે રાજ્યમાં વિવિધ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતનો મોરબી જિલ્લો આજે ભારતની સિરામિક અર્થવ્યવસ્થાનો આધારસ્તંભ બની ગયો છે. ગુજરાતના કુલ સિરામિક ઉત્પાદનમાં એકલા મોરબીનો જ લગભગ 90% હિસ્સો છે અને વિશ્વમાં બીજા નંબરનું સ્થાન ધરાવે છે.કુંભારના ચાકથી વૈશ્વિક…
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની આર્થિક પ્રગતિ અને સોમનાથ મંદિરના ઐતિહાસિક પુનઃનિર્માણ વચ્ચે સમાંતર રેખા દોરી હતી. ભાજપે જણાવ્યું હતું કે, સોમનાથ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમયે જે સમૃદ્ધિની કલ્પના કરવામાં આવી હતી, તે હવે વર્તમાન સરકારના કાર્યકાળમાં પૂર્ણ થવા જઈ રહી છે.૧૦૦૦ વર્ષ પહેલાં થયો હતો પ્રથમ હુમલો નોંધનીય છે કે, વર્ષ ૨૦૨૬ એ ૧૦૨૬માં સોમનાથ મંદિર પર થયેલા પ્રથમ મોટા હુમલાના ૧૦૦૦ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આ પ્રસંગને સોમનાથની અદમ્ય ભાવના અને ભારતની સાંસ્કૃતિક લડાયકતાના પ્રતીક તરીકે જોવામાં આવી રહ્યો છે. સદીઓ સુધી આક્રમણકારો દ્વારા નાશ પામવા છતાં આ મંદિર વારંવાર બેઠું…
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનું રાજકોટમાં કલેકટર કચેરી ખાતે પત્રકારોને સંબોધનવી.જી.આર.સી.થી સૌરાષ્ટ્ર-કચ્છમાં મોટાપાયે રોકાણ આવશે: શ્રી હર્ષભાઈ સંઘવીઉદ્યોગકારો સાથે બેઠક યોજીને તેમના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ લાવવાનો ગુજરાત સરકારનો અભિગમ આવકાર્ય: પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે,રાજ્યના નાના-મોટા ઉદ્યોગકારોની મુશ્કેલીઓ,પ્રશ્નો અને રજૂઆતોનો તત્કાલ હલ કરીને તેઓ વધુ રોકાણ કરીને ઉદ્યોગ-ધંધાનો વિકાસ કરી શકે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન મુજબ આજે રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગકારો સાથે સંકલન બેઠક યોજવામાં આવી હતી. આ સાથે તમામ વિભાગો સાથે ગ્રુપ બેઠક પણ યોજવામાં આવી હતી. તેમણે કહ્યું હતું…
અમદાવાદ, અમદાવાદ સહિત દેશભરમાં સાયબર ગઠિયા નિવૃત્ત લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે. ત્યારે જ સિનિયર સિટીઝનને ઠગવાનો એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. શેરબજારમાં ટૂંકા સમયમાં ઊંચું વળતર આપવાની લાલચ આપી સેટેલાઈટની નિવૃત્ત મહિલા સાથે ૮૬.૭૧ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. સેટેલાઈટ વિસ્તારમાં રહેતા પારૂલબેન ગોપાણી (૬૧) એક જાણીતી ફાર્મા કંપનીમાં ક્વોલિટી હેડ તરીકે કામ કરતા હતા તેઓ થોડા સમય પહેલા જ નિવૃત્ત થયા છે.થોડા સમય પહેલા પારૂલબેને ફેસબુક પર વિક્રમ કપૂર નામના વ્યક્તિની પ્રોફાઈલ પરથી શેરબજારના રોકાણ સંબંધિત જાહેરાત જોઈ હતી. ક્લિક કરતા તેઓ એક વ્હોટ્સએપ ગ્‰પમાં જોડાયા હતા, જ્યાં વિક્રમે પોતાની ઓળખ એનાલિસ્ટ તરીકે આપી ગ્‰પમાં એડ…
