અમરેલી જિલ્લાના જંગરની મહિલાએ માસિક રૂ.૧પ હજારની આવક મેળવીઅમરેલી, અમરેલી જિલ્લાના જંગર તાલુકાની એક મહિલાએ તેલ, મીઠું અને ખાંડ વગરના આરોગ્યપ્રદ અથાણાં બનાવી આગવી ઓળખ ઉભી કરી છે. આ મહિલા સેજલબેન વિથલભાઈ ભાયાણી જણાવે છે કે તેઓએ ગ્રેજયુએશન સુધીનો અભ્યાસ કર્યો છે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સ્વરોજગાર તરફ આગળ વધવાનો વિચાર આવ્યો હતો. અથાણાં બનાવવા માટેની તેમણે સતત ૬ મહિના સુધી તાલીમ મેળવી હતી. શરૂઆતમાં શીખવાની પ્રક્રિયા ઘણી જ મુશ્કેલ લાગી હતી, પરંતુ આત્મવિશ્વાસ અને ધીરજ સાથે તેમણે આગળ વધવાનું નકકી કર્યું હતું.નોકરી કરવા કરતા પોતાનો જ કોઈ વ્યવસાય કરવાનું મન હતું તે આ સ્ટાર્ટઅપ ચાલુ કરી ઓનલાઈન તેમજ ઓફલાઈન…
Author: gujarat
બીજી બાજુ અનેક વિસ્તાર પ્રાથમિક સુવિધાથી વંચિતબોટાદ, બોટાદ શહેરી વિસ્તારને વધુ સુવિધા યુકત બનાવવા નગરપાલિકા જાણે બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યું હોય તેમ સારા સીસી રોડ તોડી નવા રોડ રસ્તા બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. બીજી બાજુ શહેરના ઘણા એવા વિસ્તારો છે કે જે મૂળભૂત સુવિધાથી વંચિત છે.શહેરમાં વિકાસના નામે ચાલી રહેલી કામગીરી સામે હવે જાહેરમાં અસંતોષ વ્યકત થવા લાગ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં આજે પણ મૂળભૂત સુવિધાનો અભાવ જોવા મળે છે. ત્યારે નગરપાલિકા દ્વારા સારા અને મજબૂત સીસી રોડ તોડી ફરીથી નવા રોડ બનાવવાનું કામ હાથ ધરવામાં આવતા નાગરિકોમાં ભારે નારાજગી ફેલાઈ છે.લોકોનો સ્પષ્ટ પ્રશ્ર છે કે, જયાં પહેલેથી…
ભાવનગર, ભાવનગર ડિવિઝનમાં સ્ટેશન અધિક્ષક (ભાવનગર ટર્મિનસ) તરીકે કાર્યરત દીપક કુમાર ગુપ્તાને ઉત્તમ સેવા, કર્તવ્યનિષ્ઠા અને વ્યાવસાયિક ઉત્કૃષ્ટતા બદલ દેશના બે અતિ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પુરસ્કારો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે.રાષ્ટ્રીય સુરક્ષા અને જનસેવાના ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર યોગદાન બદલ તેમને રાષ્ટ્રપતિ પદક (વિશિષ્ટ સેવા) તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી કાર્યક્ષમતા પદક (તપાસમાં ઉત્કૃષ્ટતા) એનાયત કરવામાં આવ્યા છે.મંડળ વાણિજય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે આ પુરસ્કારો નવી દિલ્હીમાં અલંકાર સમારંભ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા ગૃહ રાજય મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ તથા વિવિધ કેન્દ્રીય સુરક્ષા અને તપાસ એજન્સીઓના પ્રતિનિધિઓની ઉપસ્થીતિમાં પ્રદાન કરવામાં આવ્યા હતા. મંડળ રેલવે પ્રબંધક દિનેશ વર્માએ ગુપ્તાને અભિનંદન પાઠવ્યા…
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરને ર૦ર૬ના વર્ષમાં ટુરીઝમ ક્ષેત્રે અગ્રેસર બનાવવા તેમજ ટ્રાફિક, પ્રદુષણ, પા‹કગ જેવી સમસ્યાઓના ઝડપી નિકાલ માટે કમિશનરના અધ્યક્ષસ્થાને મળતી રીવ્યુ બેઠકમાં ચર્ચા થઈ હતી.શહેરીજનોને નવા વર્ષમાં ટ્રાફિક, પ્રદુષણ, પાર્કિગ જેવી સમસ્યાઓમાંથી મુક્તિ મળે તે માટે રીવ્યુ બેઠકમાં સઘન ચર્ચા થઈ હતી. કમિશનરે અધિકારીઓને સુચના આપતા જણાવ્યું હતું કે નગરજનોને ટ્રાફિક સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે માટે વહેલામાં વહેલી તકે લેફટ કી ખુલ્લી કરવી જરૂરી છે. જેના માટે ડીઝાઈન સેલ દ્વારા ડીઝાઈન તૈયાર કરાવી તેનો સમગ્ર શહેરમાં અમલ કરવો પડશે.ડેપ્યુટી કમિશ્નરોએ રોજ સવારે એક જંકશનની મુલાકાત લે અને લેફટ કી ઓપન બાબતે પણ તાકીદે પગલાં લે તેમ…
Kalupur Gadi Controversy: સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ ફાંટાઓમાં કાલુપુર ગાદી લાંબા સમયથી વિવાદના કેન્દ્રમાં રહી છે. એક સમય એવો હતો જ્યારે આ સંસ્થાનું નેતૃત્વ આચાર્ય તેજેન્દ્રપ્રસાદજી મહારાજ સંભાળતા હતા અને સંસ્થામાં શિસ્ત તથા સંયમ દેખાતો હતો. સાધુઓ અને હરિભક્તો સાથે તેમનો સ્નેહભાવ પણ ચર્ચાસ્પદ રહ્યો હતો. પરંતુ સમય જતા નેતૃત્વ બદલાતા જ સંસ્થાના આંતરિક માહોલમાં ફેરફાર આવતો ગયો.નેતૃત્વ પરિવર્તન બાદ સંસ્થામાં વધતી અસંતોષની લાગણીતેજેન્દ્રપ્રસાદજી બાદ તેમના પુત્ર કૌશલેન્દ્રજી અને ત્યારબાદ લાલજી વજેન્દ્ર પાંડેએ આગેવાની સંભાળતા સંસ્થામાં અસંતોષ વધતો ગયો. અનેક સાધુઓ અને હરિભક્તોએ પોતાને અવગણવામાં આવતા હોવાની લાગણી વ્યક્ત કરી. પરિણામે કેટલાકે સંસ્થાથી અંતર પણ રાખ્યું. આ સ્થિતિએ કાલુપુર ગાદીની છબી…
રાજ્યની તમામ નદીઓનાબંન્ને કાંઠાની જમીન પર વનસંરક્ષણ-સંવર્ધનની કામગીરી વન વિભાગને સોંપાઈનિર્ણયના અન્ય મહત્વના બિંદુઓ :·વૃક્ષ ઉછેર પહેલા જમીનનું સિમાંકન–GISમેપિંગ કરીને કાર્યક્ષેત્ર–જમીનની ઓળખ કરાશે·ઓળખ કરેલી જમીનનો ઉપયોગ માત્ર ગ્રીન કવર–વૃક્ષ ઉછેર માટે જ કરવાનો રહેશે·આવી જમીનના રક્ષણ–જાળવણીની જવાબદારી વન વિભાગની રહેશે·આ પ્રકારની જમીન પર દબાણ હશે તો તે દૂર કરવાની સત્તા વન વિભાગ પાસે રહેશે·સામાજિક વનીકરણ હેઠળ શરતોને આધિન–જેતે જિલ્લા કલેકટરની કચેરી દ્વારા જગ્યાની પસંદગી કરાશે·આ ઝુંબેશ થકી વરસાદ વધવાની સાથે નદીઓના બન્ને કાંઠાની જમીનનું ધોવાણ અટકશે અને ભૂગર્ભ જળ સ્તર પણ ઊંચા આવશેવાયુ પ્રદુષણ અને કલાઈમેટ ચેન્જની વૈશ્વિક સમસ્યા વચ્ચે પર્યાવરણ જતનના હેતુથી વૃક્ષ ઉછેર અને સંવર્ધન ખૂબ જરૂરી છે.…
Science City Real Estate Ahmedabad: અમદાવાદનું રિયલ એસ્ટેટ બજાર છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપથી બદલાયું છે, અને આ બદલાવનો સૌથી ચમકતો સિતારો સાયન્સ સિટી (Science City) વિસ્તાર છે. આ ક્ષેત્ર માત્ર પોતાની વૈજ્ઞાનિક ઓળખ માટે જ નથી જાણીતું, પરંતુ હવે તે શહેરના સૌથી મનપસંદ રહેણાંક પોકેટ્સમાંનું એક બની ચૂક્યું છે.સાયન્સ સિટી હવે માત્ર પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર નથી રહ્યું, પરંતુ તે મધ્યમ અને ઉચ્ચ-મધ્યમ વર્ગના પરિવારો માટે એક પ્રાઇમ રેસિડેન્શિયલ એરિયા બની ગયો છે. અહીંનો આયોજિત વિકાસ અને પહોળા રસ્તાઓ તેને ભીડભાડવાળા જૂના શહેરથી અલગ એક શાંત અને આધુનિક ઓળખ આપે છે.અમદાવાદમાં ફ્લેટ ખરીદવાની ઈચ્છા રાખનારા લોકો હવે સાયન્સ સિટીને માત્ર એક…
MT-5 ટનલ બંને બાજુથી ખોદવામાં આવી હતી અને અત્યાધુનિક ડ્રિલ અને બ્લાસ્ટ પદ્ધતિનો ઉપયોગ કરીને 18 મહિનામાં પૂર્ણ કરવામાં આવી હતી. આ પદ્ધતિ ખોદકામ દરમિયાન જમીનની વર્તણૂકનું વાસ્તવિક સમયનું નિરીક્ષણ કરવાની મંજૂરી આપે છે અને વાસ્તવિક સ્થળની સ્થિતિના આધારે શોટક્રીટ,રોક બોલ્ટ અને જાળીના ગર્ડર જેવી સપોર્ટ સિસ્ટમ્સ મૂકવાની મંજૂરી આપે છે. ટનલ બનાવતી વખતે,વેન્ટિલેશન,આગ નિવારણ પગલાં અને યોગ્ય બહાર નીકળવાના વ્યવસ્થાપન સહિતની તમામ જરૂરી સલામતી સાવચેતીઓનું કડક પાલન કરવામાં આવ્યું હતું.અગાઉ,થાણે અને બીકેસી વચ્ચે આશરે 5 કિમી લાંબી પહેલી ભૂગર્ભ ટનલ સપ્ટેમ્બર 2025માં પૂર્ણ થઈ હતી. મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ (MAHSR)પ્રોજેક્ટની કુલ લંબાઈ 508 કિમી છે,જેમાં કુલ ટનલ લંબાઈ 27.4…
Gujarat DGP Appointment Shamsher Singh: ગુજરાતમાં નવા ડીજીપી (DGP) ને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે મોટો ઘટનાક્રમ સામે આવ્યો છે. કેન્દ્રની પ્રતિનિયુક્તિ (ડેપ્યુટેશન) પર ગયેલા ૧૯૯૧ બેચના આઈપીએસ (IPS) અધિકારી ડૉ. શમશેર સિંહને ગુજરાત પરત મોકલી દેવામાં આવ્યા છે. તેઓ અત્યારે ભારતીય સીમા સુરક્ષા દળ (BSF) માં એડિશનલ ડીજીની પોસ્ટ પર તૈનાત હતા. શમશેર સિંહના ગુજરાત પરત ફર્યા બાદ ચર્ચા જાગી છે કે તેઓ રાજ્યના નવા ડીજીપી બની શકે છે, જોકે તેમનું રિટાયરમેન્ટ ૩૧ માર્ચના રોજ છે. ગુજરાતમાં ૧૯૯૦ બેચના આઈપીએસ અધિકારી વિકાસ સહાય ૩૧ ડિસેમ્બરના રોજ ડીજીપીના પદ પરથી નિવૃત્ત થયા હતા. ત્યારબાદ ગુજરાત સરકારે ૧૯૯૨ બેચના આઈપીએસ અધિકારી…
૨૦૨૩માં ધો. ૧૦થી ડિપ્લોમા સુધીના ૩૮૭૬ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી(એજન્સી)ગાંધીનગર, સમગ્ર દેશમાં ગુજરાત પણ આપઘાતની સંખ્યામાં મોખરે છે. વર્ષ ૨૦૨૩ના જારી આંકડા મુજબ ગુજરાતમાં કુલ ૮૯૪૮ લોકોએ જીવન ટૂંકાવ્યું હતું. સમગ્ર દેશમાં થતી આત્મહત્યાઓમાં ગુજરાતમાં ૫.૨ ટકા લોકોએ આપઘાત કર્યાનું પ્રમાણ છે. ગુજરાતમાં આપઘાત કરનારામાં ૬૨૬૦ પુરુષ, ૨૬૮૫ મહિલા અને ૩ ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે.વિદ્યાર્થીઓમાં વિવિધ કક્ષાએ માનસિક તણાવ સહિતના કારણોથી આપઘાત નોંધાયા છે. ૨૦૨૩માં ધો. ૧૦થી ડિપ્લોમા સુધીના ૩૮૭૬ વિદ્યાર્થીની આત્મહત્યા નોંધાઇ છે. ગુજરાતમાં આપઘાત કરનારામાં વિદ્યાર્થીઓનું પ્રમાણ પણ નોંધપાત્ર છે. ૨૦૨૩માં ધોરણ ૧૦ સુધીના ૧૪૫૫ પુરુષ, ૬૦૮ મહિલા અને ૨ ટ્રાન્સજેન્ડર મળીને કુલ ૨૦૬૫એ આપઘાત કર્યાે હતો.ધોરણ ૧૨ સુધીના…
