(પ્રતિનિધિ) ગોધરા, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે નિવૃત્તિ પૂર્વે પોતાની કારકિર્દીના પ્રારંભિક પોસ્ટિંગ સ્થળ ગોધરા શહેરની સ્મરણસભર મુલાકાત લીધી હતી. તેઓ પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે પહોંચતાં ગોધરા સ્થિત એસ.પી. કચેરીએ તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્ય પોલીસ વડાને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે વિકાસ સહાયે ભારતીય પોલીસ સર્વિસમાં જોડાયા બાદ વર્ષ ૧૯૯૧માં ગોધરા ખાતે અજમાયશી અધિક જિલ્લા પોલીસ વડા તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. લાંબા સમય બાદ ફરી ગોધરા આવતા આ મુલાકાત તેમના માટે ભાવનાત્મક અને યાદગાર બની રહી હતી.રાજ્ય પોલીસ વડાની આ મુલાકાત દરમિયાન પંચમહાલ રેન્જના આઇજી, પંચમહાલ જિલ્લાના પોલીસવડા,…
Author: gujarat
બનાવના દિવસથી જ અશોક ગોહીલ પોતાનો ફોન સ્વીચ ઓફ કરી ફરાર થઈ ગયો હોવાથી પોલીસની શંકા દ્રઢ બની હતી. ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે અશોક ગોહીલને શોધી કાઢી તેની કડક પૂછપરછ હાથ ધરી હતી. ડાકોરઃ સમલૈંગિક સંબંધોમાં થયેલી તકરારમાં મિત્રએ જ મિત્રની પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી હોવાનું ખુલ્યું(પ્રતિનિધિ) નડિયાદ, ડાકોર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ મહીસાગર નદીના પટમાંથી ગત તારીખ ૧૬/૧૨/૨૦૨૫ ના રોજ એક અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. ખેડા- એલ.સી.બી. અને ડાકોર પોલીસે સંયુક્ત તપાસ હાથ ધરી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. મિત્રએ જ સમલૈંગિક સંબંધોની તકરારમાં મિત્રની પથ્થર મારી હત્યા કરી…
હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર (દાદા) તથા ભરતભાઈ પંડ્યાને પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી મળી(પ્રતિનિધિ) ગોધરા, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. હાલોલના ધારાસભ્ય અને પંચમહાલ જિલ્લાના અગ્રણી નેતા જયદ્રથસિંહજી પરમારની ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ સત્તાવાર જાહેરાત થતા જ પંચમહાલ સહિત આસપાસના વિસ્તારોમાં ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ છવાઈ ગયો હતો.જયદ્રથસિંહજી પરમાર અગાઉ રાજ્ય સરકારમાં મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. સંગઠન અને પ્રશાસનિક ક્ષેત્રે તેમને વિશાળ અનુભવ છે. પક્ષના સૂત્રો મુજબ, તેમના અનુભવ, કાર્યક્ષમતા અને સંગઠન પ્રત્યેની નિષ્ઠાને ધ્યાનમાં રાખીને ભાજપના રાજ્ય નેતૃત્વ દ્વારા તેમને આ મહત્વપૂર્ણ…
હિંમતનગર- શામળાજી નેશનલ હાઈવે પર ટ્રકમાંથી રૂ.૮૧ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયોતલોદ, સાબરકાઠા એલસીબીને મળેલ બાતમીને આધારે હિંમતનગર શામળાજી નેશનલ હાઈવે નં.૪૮ ઉપર આગિયોલમાં નાકાબંધી કરી બટાકાના કોથળાની આડશમાં સંતાડીને અમદાવાદ તરફ લઈ જવાઈ રહેલ રૂ.૮૧ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી એકને દબોચી લઈ બે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.આ અંગે મળતી માહિતી અનુસાર તા.ર૭ ડિસેમ્બર ર૦રપ શનિવારના રોજ એલસીબી પીઆઈ ડી.સી. સાકરીયાને બાતમી મળી હતી કે ટ્રકમાં શામળાજી તરફથી આવી રહી છે અને બટાકા ભરેલ કંતાનના કોથળાઓની આડશમાં દારૂનો જથ્થો ભરી અમદાવાદ તરફ લઈ જવાઈ રહયો છે.બાતમી આધારે શામળાજી અમદાવાદ હાઈવે…
(એજન્સી) વડોદરા, વડોદરા સ્થિત ગુજરાતના સૌથી સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલને રવિવારે ડિજિટલ એરેસ્ટનો પ્રયાસ થયો હોવાનું બહાર આવ્યું છે. માંજલપુર મત વિસ્તારના પીઢ અને જાગૃત એવા ધારાસભ્યએ ભેજાબાજોને સંભળાવ્યું હતું કે, તું જે સ્કૂલમાં ભણે છે એના અમે પ્રિÂન્સપાલ રહી ચૂકયા છીએ.આ સાંભળતાની સાથે રોંગ નંબર કહીને ભેજાબાજોએ ફોન કટ કરી દીધો હોવાની ઘટના બની હતી. જો કે, આ બાબતની ગંભીરતા લઈને તેઓએ તાત્કાલિક ડે.ચીફ મિનિસ્ટર હર્ષ સંઘવી સાથે વાતચીત કરીને આડેધડ સીમકાર્ડ વેચનારાઓ પર નીતિ નિયમો બનાવીને નિયંત્રણ લાવવા માટે રજૂઆત કરી હતી તેની સાથે આવા લોકો પર વોચ રાખવા માટે પોલીસ કમિશનરને તાકીદ કરતાં સાયબર ક્રાઈમ વિભાગ દ્વારા…
ટ્રાફિક જામને કારણે લોકોનો કિંમતી સમય બગડી રહ્યો છે તેમજ ઈંધણનો પણ વ્યર્થ વપરાશ થઈ રહ્યો છેવડોદર, સંસ્કારી નગરી વડોદરાના દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારોને જોડતો અત્યંત મહત્વનો ખિસકોલી સર્કલ હાલ નાગરિકો માટે મોટું માથાનું દુખાવો બની ગયો છે. વોર્ડ નંબર ૧૨માં અટલાદરા વિસ્તારથી વિશ્વામિત્રી નદી તરફ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલી રહેલી વરસાદી કાંસની કામગીરીને કારણે છેલ્લા ત્રણ મહિનાથી અહીં ગંભીર ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ છે.કાંસની લાઈન રસ્તા પરથી ક્રોસ કરવામાં આવતી હોવાથી મુખ્ય માર્ગ નોંધપાત્ર રીતે સાંકડો થઈ ગયો છે. પરિણામે દિવસ-રાત વાહનોની લાંબી લાઈનો લાગી રહે છે. શહેરના સૌથી વ્યસ્ત માર્ગોમાંના એક એવા આ રોડ પર ૨૪ કલાક ભારે…
ઘનશ્યામ સોની અને તેના બે પુત્રોએ ફરિયાદીને નફાની લાલચ આપીને ચાંદીનું રોકાણ કરાવ્યું હતું.ધોળકામાં ચાંદીમાં રોકાણના નામે કરોડોની છેતરપિંડી -ફરિયાદી સાથે રૂ. ૬.૦૪ કરોડની છેતરપિંડી આચરાઈ છે, પરંતુ સ્થાનિકોમાં ૩૦૦થી ૪૦૦ કરોડનું ફૂલેકું હોવાની ચર્ચા છેધોળકા, અમદાવાદ ગ્રામ્ય ધોળકા શહેરમાં ત્રણ પેઢીથી પ્રતિષ્ઠિત ગણાતા ‘હરી જવેલર્સ’ના માલિકોએ રોકાણકારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની સનસનાટીપૂર્ણ ઘટના સામે આવી છે. ભવ્ય શો-રૂમ અને લક્ઝરી કાર બતાવીને લોકોનો વિશ્વાસ જીતનાર સોની પિતા-પુત્રો છેતરપિંડી કરીને રાતોરાત ગાયબ થઈ ગયા હતા.સમગ્ર મામલે ભોગ બનનાર વ્યક્તિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. BNS મુજબ, ફરિયાદી સાથે રૂ. ૬.૦૪ કરોડની છેતરપિંડી આચરાઈ છે, પરંતુ સ્થાનિકોમાં ૩૦૦થી ૪૦૦ કરોડનું…
બે દિવસીય કેમ્પમાં રાજ્યભરમાં2.96નાગરિકોએ2.96લાખથી વધુ ફોર્મ ભર્યારાજ્યના તમામ જિલ્લાઓમાં આયોજિત કેમ્પોમાં બે દિવસ દરમિયાન આશરે10લાખ લોકોએ મુલાકાત લઈ,માર્ગદર્શન મેળવ્યુંનવા મતદાર તરીકે જોડાવા,નામ કમી કરાવવા કે ટ્રાન્સફર અથવા સુધારા માટેના ફોર્મ ભરવા માટે નાગરિકોનો અભુતપૂર્વ ઉત્સાહભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR)હાથ ધરવામાં આવી છે. ગત તા.27ઓક્ટોબર2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલીSIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની ગણતરીના તબક્કાની અસરકારક કામગીરી બાદ19ડિસેમ્બર2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી. હવે તા.18જાન્યુઆરી2026સુધીમાં જે મતદારો મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા સબંધી જે કંઇ વાંધા-દાવા રજૂ કરવા માંગતા હોય તેઓ તે રજૂ કરી…
ગાંધીનગર: શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે ગુજરાતની દૂરંદેશીની નોંધ હવે રાષ્ટ્રીય સ્તરે લેવાઈ રહી છે. નીતિ આયોગના ઉચ્ચ શિક્ષણના વૈશ્વિકીકરણ અંગેના તાજેતરના અહેવાલમાં ગિફ્ટ સિટી (GIFT City) ખાતે સ્થાપિત ‘ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી’ (GBU) ના ભારોભાર વખાણ કરવામાં આવ્યા છે. અહેવાલમાં જણાવ્યા મુજબ, પાંચ વર્ષ પહેલાં ગુજરાત સરકારે લીધેલું આ સાહસ આજે ભારતના ઉચ્ચ શિક્ષણના આંતરરાષ્ટ્રીયકરણ માટે એક ઉત્તમ મોડેલ અને માપદંડ સાબિત થયું છે.બ્રેઈન ડ્રેઈન રોકવા માટે ગુજરાતનું આક્રમક પગલું નીતિ આયોગના રિપોર્ટ મુજબ, ભારતમાંથી ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જનારા ૨૮ વિદ્યાર્થીઓ સામે માત્ર ૧ વિદેશી વિદ્યાર્થી ભારત ભણવા આવે છે, જેના કારણે જીડીપી (GDP) ના અંદાજે ૨ ટકા જેટલું નાણું…
એએમએ દ્રારા“ઇન્ડિયાઝ ડેરી પાથ અન્ડર વિકસિત ભારત ૨૦૪૭”વિષય પર વિશેષ વ્યાખ્યાનનું આયોજનકરાયુંઅમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (એએમએ) દ્રારા“સેલ્ફ-સફિશિયન્સી ટુ ગ્લોબલ લીડરશિપ: ઇન્ડિયાઝ ડેરી પાથ અન્ડર વિકસિત ભારત ૨૦૪૭”વિષય પર વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાન નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એનડીડીબી)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. મીનેશ શાહ દ્રારા આપવામાં આવ્યું હતું.એએમએના પ્રમુખ શ્રી રાજીવ ગાંધીએ સ્વાગત પ્રવચન આપતાં ભારતને દૂધની અછત ધરાવતા દેશમાંથી વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશ બનાવવાના ઐતિહાસિક પ્રવાસમાં એનડીડીબીની આત્મનિર્ભરતાથી વૈશ્વિક નેતૃત્વ સુધી મહત્વની ભૂમિકાની પ્રશંસા કરી હતી.ડૉ. મીનેશ શાહે ભારતના ડેરી ક્ષેત્ર માટે પરિવર્તનકારી રોડમેપ રજૂ કર્યો હતો,જેનો ઉદ્દેશ્ય ૨૦૪૭ સુધીમાં દેશને આત્મનિર્ભરતાથી વૈશ્વિક નેતૃત્વ…
