(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા શહેરમાં થયેલ ચોરીના એક મહત્વના ગુનાનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પંચમહાલ-ગોધરાએ સફળતાપૂર્વક ઉકેલી લીધો છે. પોપટપુરા વિસ્તારમાં મઢુલી હોટલ પાસે પોલીસે એક શંકાસ્પદ ઇસમને ઝડપી પાડ્યો હતો,જેના પાસેથી ગોધરા કોર્ટ બિલ્ડીંગમાંથી ચોરાયેલા નોટરી વકીલોના સિક્કા, સહીનું પેડ, ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ સાધન અને મોબાઇલ ફોન મળી કુલ અંદાજિત રૂપિયા ૧૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.પોલીસ દ્વારા મળેલ માહિતી અનુસાર, ગોધરા કોર્ટના ફોજદારી વિભાગમાં વકીલોના ટેબલમાંથી તા. ૦૩ માર્ચ ૨૦૨૬ના રોજ સિક્કાઓની ચોરી કરવામાં આવી હતી. આ મામલે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સીસના આધારે તપાસ…
Author: gujarat
વડનગર તાલુકાના મલેકપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કાપણી માટે તૈયાર તમાકુ અને એરંડાના પાક પર કુદરતનો પ્રકોપમહેસાણા, સમગ્ર ગુજરાતમાં પડી રહેલા કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ઠેર ઠેર નુકસાની જોવા મળી રહી છે, ખાસ કરીને ખેડૂતોને ભારે આર્થિક ફટકો પડ્યો છે. મહેસાણા જિલ્લામાં છેલ્લા ૨ દિવસ દરમિયાન પડેલા વરસાદ અને તેજ પવન સાથેના વાવાઝોડાએ ખેડૂતો માટે મોટી આફત સર્જી છે. તમાકુ અને એરંડા જેવા મુખ્ય પાકોમાં નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે.તમાકુનો પાક છેલ્લા અઠવાડિયાથી કાપણી માટે તૈયાર હતો અને ઘણા ખેડૂતો કાપણી કરીને તેને સુકવવા માટે ખેતરમાં મૂકી ચૂક્્યા હતા, જ્યારે હજુ કેટલાક ખેતરોમાં તમાકુ ઉભી હાલતમાં હતી. સામાન્ય રીતે…
ગુજરાતનો ગેમ ચેન્જર બનશે નવો કોસ્ટલ હાઈવેભરૂચ, ગુજરાતમાં વિકાસની ગાડી સડસડાટ દોડી રહી છે. આવામાં હાઈવેની દિશામાં ગુજરાતે હરણફાળ છલાંગ લગાવી છે. કારણ કે, હવે ગુજરાતમાં નવો કોસ્ટલ હાઈવે બનવા જઈ રહ્યો છે. ગુજરાતના આ કોસ્ટલ હાઈવેથી ભરૂચ અને સુરત શહેર વચ્ચેનું અંતર ૧૫ કિલોમીટર ઘટી જશે.આ શહેરના પોર્ટ એકબીજા સાથે જોડાવાથી દક્ષિણ ગુજરાતને મોટો ફાયદો થશે. સુરતના ઓલપાડના પારડી ઝાખરી ગામે કોસ્ટલ હાઈવેના કામનું બે દિવસ પહેલા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. પૂર્વ મંત્રી અને ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું છે. આ હાઈવેથી સુરત અને ભરૂચ શહેરને લિંક કરવામાં આવશે. જેનાથી બંને શહેર વચ્ચેનું અતર ૧૫ કિલોમીટર જેટલું…
(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીના ચોથા નોરતે આજે વહેલી સવારથી જ ભક્તોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રવિવારની જાહેર રજા અને નવરાત્રીના પવિત્ર અવસરને કારણે લાખો શ્રદ્ધાળુઓ મહાકાળી માતાજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા. વહેલી સવારે ૫ વાગ્યે મંદિરના દ્વાર ખુલતા જ ‘જય માતાજી’ના ગુંજનથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું.ભક્તો વહેલી સવારથી જ લાંબી લાઈનમાં ઊભા રહી શાંતિપૂર્ણ રીતે દર્શન કરતા જોવા મળ્યા હતા. મહિલાઓ, વડીલો અને યુવાનોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. ઘણા ભક્તો પરિવારો સાથે આવી માતાજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી રહ્યા હતા. પાવાગઢ ડુંગર પર ચડતા માર્ગોમાં પણ ભક્તોની સતત અવરજવર…
વડોદરાનો વરેડિયા-વેમાલી માર્ગ રાજ્યનો સૌથી ખતરનાક ‘બ્લેક સ્પોટ’ઃ એક જ વર્ષમાં ૨૮૧ લોકોએ જીવ ગુમાવ્યાઅમદાવાદ, ગુજરાતમાં માર્ગ સુરક્ષાને લઈને ગૃહ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી કડક કાર્યવાહીના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન રાજ્યભરમાં લાખો વાહનચાલકો વિરુદ્ધ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ દંડાત્મક પગલાં લેવામાં આવ્યા છે.સરકારી અહેવાલ મુજબ, હજુ પણ મોટાભાગના વાહનચાલકો હેલ્મેટ અને સીટબેલ્ટ જેવા પાયાના સુરક્ષા નિયમોને સદંતર અવગણી રહ્યા છે, જે જીવલેણ અકસ્માતોનું મુખ્ય કારણ બની રહ્યા છે.ગૃહ વિભાગના રિપોર્ટ અનુસાર, સૌથી વધુ બેદરકારી હેલ્મેટ પહેરવામાં જોવા મળી છે. ૧૯ લાખથી વધુ વાહનચાલકો હેલ્મેટ વગર ઝડપાયા છે. આવી જ રીતે ૪.૨૯ લાખ વાહન ચાલકો સીટબેલ્ટ…
આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ્લ પાનશેરિયાના હસ્તે કરાયું ઉદ્ઘાટન, કૅન્સરની સંપૂર્ણ સારવાર માટે વર્લ્ડ-ક્લાસ સુવિધાઓની શરૂઆતઅમદાવાદ. શહેરના ઘુમા-બોપલ વિસ્તારમાં આવેલ ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલ ખાતે રવિવારે સવારે 10:30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ અને લોન્ચિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આ પ્રસંગે શેલ્બી કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SCRI) દ્વારા રેડિયેશન ઑન્કોલોજી માટે અદ્યતન ‘ઇલેક્ટા ઇન્ફિનિટી’ મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું. આ મશીન અમદાવાદ માટે પોતાની જાતનું અનોખું ગણાય છે, જે કૅન્સર સારવાર ક્ષેત્રમાં નવી તકનીકી ક્રાંતિ લાવશે.આ કાર્યક્રમમાં ગુજરાતના આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા અને તેમના હસ્તે મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેઓએ આ…
(એજન્સી)ગાંધીનગર, હાલમાં ચાલી રહેલા ગુજરાતના વિધાનસભાના સત્ર દરમિયાન કલ્પસર યોજના વિશે ભારે ચર્ચા થઈ. કારણ કે, ૧૮ વર્ષના વહાણ વીતી ગયા, પરંતું કલ્પસર યોજના સરકારી કાગળોમાંથી ક્્યારેય બહાર આવી નથી. છતાં દર વર્ષે આ યોજના પાછળ કરોડો રૂપિયાનું બજેટ ફાળવાય છે, અને ખર્ચ પણ કરાય છે.સરકારે જાહેર કરેલી કલ્પસર યોજના હજુ પણ કલ્પનાઓમાં છે તેવું ખુદ સરકાર સ્વીકારે છે. ૨૦૦૩ માં અપાયેલી વહીવટી મંજૂરીના ૨૩ વર્ષ બાદ પણ કલ્પસર યોજના ખોરંભે ચઢી છે. ૧૮ વર્ષમાં ૬ મુખ્યમંત્રી બદલાયા. ડઝનેક જેટલા ચીફ સેક્રેટરી નિવૃત્ત થયા, પરંતું કલ્પસર યોજનાને પગ ન આવ્યા.પરંતું ૧૮ વર્ષમાં આ યોજના કરોડો રૂપિયા ખાઈ ગઈ છે. સરકારી…
(એજન્સી) ગાંધીનગર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ સંપન્ન થયા બાદ હવે શિક્ષણ વિભાગ દ્વારા પરિણામ વહેલી તકે જાહેર કરવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૪૫ જેટલા નિર્ધારિત કેન્દ્રો પર ઉત્તરવહીઓના મૂલ્યાંકનની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.સામાન્ય રીતે રવિવારે રજા હોવા છતાં, આ વખતે પરિણામ સમયસર અને ઝડપથી તૈયાર થઈ શકે તે હેતુથી રવિવારના દિવસે પણ પેપર ચેકિંગની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી હતી. શિક્ષકો અને બોર્ડના કર્મચારીઓ રજાના દિવસે પણ કેન્દ્રો પર હાજર રહીને કામગીરી પૂર્ણ કરવા માટે દોડધામ કરી રહ્યા છે.અમદાવાદમાં પેપર ચેકિંગની આ…
દારૂનો જથ્થો દિલ્હીના બવાના ખાતેથી મોકલવામાં આવ્યો હતો. આ પાર્સલ અમદાવાદના નીલમ ફૂટવેરના નામે મંગાવવામાં આવ્યું હતું.-માધુપુરામાં પીસીબીએ બુટલેગરોની નવી મોડસ ઓપરેન્ડી ઝડપી પાડી(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં બૂટલેગરો ધરપકડથી બચવા માટે અવનવા કીમિયા અપનાવતા હોય છે, પરંતુ પીસીબીએ તેમની એક નવી ચાલાકીનો પર્દાફાશ કર્યો છે. માધુપુરા વિસ્તારમાં લેડીઝ ફૂટવેરના પાર્સલની આડમાં મંગાવવામાં આવેલો વિદેશી દારૂનો જથ્થો પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે.મળતી માહિતી અનુસાર, પીસીબીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે માધુપુરામાં પ્રેમ દરવાજા બહાર આવેલા પટેલ ગુડ્સ ફ્લાઈટ કેરિયર્સના ગોડાઉનમાં શંકાસ્પદ પાર્સલ આવ્યા છે.આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ત્યાં લેડીઝ ચપ્પલના બોક્સ મળી આવ્યા હતા. જોકે, જ્યારે આ બોક્સ ખોલવામાં…
અલગ-અલગ જિલ્લાઓમાં ખરીદ કેન્દ્રો ફાળવાયા(એજન્સી)ગાંધીનગર, ગુજરાતમાં રવિ પાકની સિઝન પૂર્ણ થતા હવે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ૨૩ માર્ચ ૨૦૨૬થી રાજ્યભરમાં ચણા અને રાયડાની ખરીદીનો પ્રારંભ થશે. આ વર્ષે કુલ ૨.૯૬ લાખથી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે પાક વેચવા માટે ઓનલાઇન નોંધણી કરાવી છે. આ અંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ માહિતી આપી હતી.રાજ્યભરમાં ખેડૂતોની સુવિધા માટે પૂરતા પ્રમાણમાં ખરીદ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. ખેડૂતોએ કરાવેલી નોંધણી, વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને લઈને ચણાની ખરીદી માટે ૧૬૫ તથા રાયડાની ખરીદી માટે ૬૦ ખરીદ કેન્દ્રો કાર્યરત કરવામાં આવશે.ચણા અને રાયડાના ટેકાના ભાવે વેચાણ માટે ચાલુ વર્ષે પુષ્કળ…
